પૃથ્વી પર ઘણા એવા યુદ્ધ થયા છે જેમાં મોટાભાગનો હેતુ બીજા રાજ્યો પર કબજો જમાવવાનો હતો. તો ખાડી દેશો પર થયેલા હુમલાને ક્રૂડ ઑઈલના કારણે અંજામ આપવામાં આવ્યો. તો અમુક કેસમાં અમેરિકા અને પશ્ચિમ દેશોએ એવો માહોલ બનાવ્યો કે જેનાથી સુરક્ષાના નામે હથિયાર ખરીદવાની હોડ લાગી ગઇ.
378 વર્ષ પહેલા એક ફળ માટે લડાયું હતુ યુદ્ધ
ફળના અધિકારને લઇને બંને રજવાડા બાખડી પડ્યા
એક ઝગડાએ લોહીયાળ યુદ્ધનું સ્વરૂપ ધારણ કર્યુ હતુ
તરબૂચ માટે યુદ્ધ લડાયું !
રશિયા અને યુક્રેનનુ યુદ્ધ હોય કે પછી તાઈવાનની વચ્ચે તકરારનુ કારણ બંને જગ્યાએ તણાવનુ મૂળ કારણ જમીન પર કબજો અને હથિયારનો વ્યાપાર જ છે. આ દરમ્યાન તમને જણાવવાનુ કે વિશ્વમાં એક લડાઈ એવી પણ છે, જે હથિયારો અથવા ક્રૂડ ઑઈલ માટે નહીં, પરંતુ એક તરબૂચ પાછળ થઈ. જેમાં હજારો સૈનિકોના જીવ જતા રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે ઈ.સ. 1644માં થયેલુ આ યુદ્ધ એક તરબૂચ માટે લડવામાં આવ્યું હતુ. આવો જાણીએ અનોખા યુદ્ધ વિશે.
બંને રજવાડા વચ્ચે ખેંચાઈ તલવાર
રિપોર્ટ મુજબ, ઈતિહાસમાં આ યુદ્ધ મતીરાની રાડના નામથી નોંધાયેલુ છે. રાજસ્થાનના ઘણા વિસ્તારમાં તરબૂચને મતીરાના નામથી ઓળખવામાં આવે છે અને રાડનો અર્થ લડાઈ થાય છે. આજથી 378 વર્ષ પહેલા ઈ.સ. 1644માં આ અનોખુ યુદ્ધ થયુ હતુ. તરબૂચ માટે લડવામાં આવેલી આ લડાઈ વિદેશમાં નહીં, પરંતુ પોતાના દેશના બે રજવાડાઓ વચ્ચે થયુ હતુ. તે વખતે બિકાનેર રાજ્યના સીલવા ગામ અને નાગૌર રાજ્યના જાખણિયા ગામની સરહદો એકબીજા સાથે જોડાયેલી હતી. આ બંને ગામ આ રાજ્યોની છેલ્લી સરહદો હતી. બિકાનેર રાજ્યની સરહદમાં એક તરબૂચનુ વૃક્ષ હતુ અને નાગૌર રાજ્યની સરહદમાં તેનુ એક ફળ હતુ. બસ પછી તો શું હતુ આ ફળ જ યુદ્ધનુ કારણ બની ગયુ.
એક તરબૂચ માટે શહીદ થયા હજારો સૈનિક
સીલવા ગામના ગ્રામજનોનુ કહેવુ હતુ કે આ વૃક્ષ તેમના ત્યાં ઉગ્યુ છે. તો આ ફળ પર તેમનો અધિકાર છે. તો નાગૌર રાજ્યના ગ્રામજનોનુ કહેવુ હતુ કે ફળ તેમની સરહદમાં છે તો તરબૂચ તેમનુ છે. આ ફળ પર અધિકારને લઇને બંને રજવાડાઓમાં શરૂ થયેલા ઝગડાએ લોહીયાળ યુદ્ધનુ સ્વરૂપ ધારણ કર્યુ.