મહારાષ્ટ્રમાં ધાર્મિક સ્થળો ખોલવાના મુદ્દે રાજ્યાપાલ અને ઉદ્ધવ ઠાકરે આમને સામને આવી ગયા છે. ઉદ્ધવ ઠાકરેએ રાજ્યપાલને કહ્યું કે તમારી પાસેથી હિન્દુત્વનું સર્ટિ. લેવાની જરૂર નહીં
મહારાષ્ટ્રમાં ફરી CM-રાજ્યપાલ આમને સામને
રાજ્યપાલના પત્રનો CM ઉદ્ધવ ઠાકરેનો સણસણતો જવાબ
મારે તમારી પાસેથી હિન્દુત્વનું સર્ટિ. લેવાની જરૂર નહીં: CM ઉદ્ધવ
મહારાષ્ટ્રમાં ધાર્મિક સ્થળોને ખોલવાને લઈને પ્રચંડ માંગ કરવામાં આવી રહી છે. ભાજપ કાર્યકર્તાઓ આ માંગને લઈને મુંબઈમાં પ્રદર્શન કરી રહ્યા છે. આ સિવાય શિરડીમાં સાધુ સંત અનશન પર બેસી ગયા છે ત્યારે રાજ્યપાલ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે જંગ જામી છે.
રાજ્યપાલે CM ઉદ્ધવને ધાર્મિક સ્થળો ખોલવા લખ્યો હતો પત્ર
રાજ્યપાલ ભગત સિંહે પોતાના પત્રમાં ઉદ્ધવ ઠાકરેને કહ્યું કે એક તરફ સરકાર રેસ્ટોરન્ટ ખોલી રહી છે પણ બીજી તરફ દેવી દેવતાઓના સ્થળોને ખોલવામાં આવ્યા નથી. તમે હિન્દુત્વના મજબૂત પક્ષધર છો. તમે ભગવાન રામની સાવર્જનિક રૂપથી ભક્તિ કરી છે. રાજ્યપાલે ઉદ્ધવ ઠાકરેને ટોણો મારતા કહ્યું કે તમે અષાઢી અગિયારસે વિઠ્ઠલ મંદિર ગયા હતા, શું તમે હવે અચાનક સેક્યુલર બની ગયા છો ? જે શબ્દથી તમને નફરત છે ?
તમે સ્મિત સાથે મુંબઇને POK કહેનારાઓનું સ્વાગત કર્યુ છે: CM ઉદ્ધવ
ભગત સિંહ કોશ્યારીના પત્રના જવાબમાં ઉદ્ધવ ઠાકરેએ પણ નિવેદનબાજી કરી અને પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે ધાર્મિક સ્થળો ખોલવાને લઈને આપનો પત્ર મળ્યો, સરકાર તે વિશે વિચાર કરી રહી છે. પણ અમે મહારાષ્ટ્રની જનતાના જીવન વિશે ચિંતા કરીએ છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તમે હિન્દુત્વ પર મારા સ્ટેન્ડ વિશે ઉલ્લેખ કયો છે પણ મારે તમારી પાસેથી હિન્દુત્વનું સર્ટીફીકેટ લેવાની જરૂર નથી અને તમારી પાસેથી શીખવાની જરૂર નથી. જે લોકો મારા રાજ્ય અને મુંબઈને POK કહે છે તેમનું હું સ્વાગત કરતો નથી, એ મારું હિન્દુત્વ નથી.
CM ઉદ્ધવ ઠાકરેનો સણસણતો જવાબ
ઉદ્ધવ ઠાકરેએ રાજ્યપાલને સવાલ કર્યો કે શું ધાર્મિક સ્થળોને ફરીથી ખોલી દેવા જ હિન્દુત્વ છે ? અને ધાર્મિક સ્થળોને ન ખોલવા એ સેકયુલરિઝમ છે ? તમે ગવર્નરના પદ માટે શપથ લીધા છે શું તમે સેકયુલરિઝમ નથી માનતા ?