સાત વર્ષથી ચાલતા સંઘર્ષનો આજે અંત આવ્યો છે. આજ વહેલી સવારે સાડા પાંચ વાગ્યે નિર્ભયાના દોષિયોને દિલ્હીના તિહાડ જેલમાં ફાંસી આપવામાં આવી છે. જ્યારે એક બાજુ દોષિયોના વકીલે તેમને બચાવવા બધો જોર લગાવી દીધો હતો. તો બીજી તરફ નિર્ભયાની વકીલ સીમા કુશવાહાએ જબરદસ્ત લડાઈ આપતા નિર્ભયા અને તેના પરિવારને ન્યાય અપાવ્યો. તનમે જણાવીએ કે કોણ છે આ સીમા કુશવાહા.
એક પણ પૈસા વગર 7 વર્ષ સુધી કેસ લડ્યો
સીમાના વકિલાત કરિયરનો પહેલો કેસ નિર્ભયાનો કેસ
"આજ મને ખુશી છે કે, હું તેને ન્યાય અપાવી શકી" -સીમા
વર્ષ 2012થી લઈ આજસુધી સીમા કુશવાહા નિર્ભયાના ન્યાય અપાવવા માટે અદાલતમાં લડી રહી હતી. ચારેય દોષિયોને ફાંસીની સજા જાહેર થતા લોકોએ સીમાને પણ વધાવી રહ્યા છે. સીમાને વધુ માન સમ્માન આપવાનું મન થાય છે, કે તેમણે એક પણ પૈસા વગર 7 વર્ષ સુધી કેસ લડ્યો હતો અને નિર્ભયાને જીત અપાવી.
નિર્ભયાકાંડ થયા બાદ સીમાએ કેસ મફતમાં લડવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ નીચલી અદાલત થી લઈ ઉપરી અદાલત સુધી નિર્ભયાને ન્યાય અપાવા માટે લડતી રહી.
યુપીની રહેવાસી સીમાએ દિલ્હી વિશ્વવિદ્યાલયથી વકાલત કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ તે IAS બનવા ઈચ્છતી હતી. 2012માં જ્યારે નિર્ભયાની ઘટના બની તે સમય દરમિયાન સીમા કોર્ટમાં ટ્રેનિંગ કરી રહી હતી. ત્યાર બાદ સીમાએ આ કેસને પૈસા વગર લડવાનું નક્કી કર્યુ હતું અને સંકલ્પ કર્યો હતો કે, તે નિર્ભયાને ન્યાય અપાવીને જ રહેશે.
એક ઈન્ટરવ્યુમાં સીમાએ કહ્યું હતું કે, જો તેણે આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લિસ્ટિંગ કરવાના પ્રયત્નો કર્યા ન હોત તો, આ કેસ હજુ સુધી લટકી જ રહેતે. સીમાએ જણાવ્યું હતું કે, તે પોતે આવા માહોલથી આવે છે જેમાં છોકરીઓને વધારે આઝાદી નથી મળતી. આવા સંજોગોમાં પણ તે વકીલ બની.
સીમાના વકિલાત કરિયરનો પહેલો કેસ નિર્ભયાનો કેસ હતો. આ કેસને સીમા પૂરા જોશથી લડી અને આખરે તે જીતી ગઈ. આ સાત વર્ષોમાં ફક્ત કોર્ટ જ નહીં પરંતુ અદાલતની બહાર પણ સીમા નિર્ભયાના માતા-પિતા સાથે અડીખમ ઉભી હતી.
ચારેય દોષિયોને સજા મળી ત્યારે સીમાએ કહ્યું કે, "હું નિર્ભયા ગેંગરેપના મામલો થયો ત્યાર બાદથી જ વિરોધ પ્રદર્શનમાં સામેલ હતી. આજ મને ખુશી છે કે, હું તેને ન્યાય અપાવી શકી."
હાલ સીમા સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસિંગ અધિવક્તા છે. તે કહે છે કે, નિર્ભયાનો કેસ લડવો એ તેના માટે પણ એક મોટો પડકાર હતો. આ લડાઈ દરમિયાન નિર્ભયાના પરિવાર સાથે અને તેમાં પણ ખાસકરીને તેની મા સાથે સીમાનો લાગણીશીલ સંબંધ બંધાઈ ગયો છે.
ફાંસી બાદ નિર્ભયાની મા આશાદેવીએ સૌથી પહેલા સીમાનો આભાર માન્યો હતો. આશાદેવીએ કહ્યું કે, સીમા વગર આ જીત મેળવવી શક્ય ન હતી. નિર્ભયા કેસમાં સીમા કુશવાહાનો ઘણો મોટો ફાળો છે.