આતંકી સંગઠન અલકાયદાનો કમાન્ડર ઝાકીર મૂસા પંજાબમાં છૂપાયો હોવાનો ગુપ્તચર વિભાગનો અહેવાલ છે. આઈ.બી. અને સી.આઈ .ડી. ઈન્ટેલિજન્સે આ અહેવાલ રજૂ કર્યો છે.
જે બાદ પંજાબ પોલીસ પણ હાઈએલર્ટ પર છે. ઠેર ઠેર પોલીસ દ્વારા ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આતંકી ઝાકીર મૂસા પંજાબમાં ઘૂસ્યો હોવાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
જે બાદ પંજાબમાં ઠેર ઠેર ઝાકીર મૂસાના પોસ્ટર લાગ્યા હતા. જેથી લોકો સતર્ક રહી શકે. ફરી એકવાર આતંકી ઝાકીર મૂસા પંજાબમા ઘૂસ્યો હોવાનો અહેવાલ મળતા પોલીસ સતર્ક બની છે.
ઉલ્લેખનીય છે કે જાકિર મૂસા અલકાયદાનો કમાન્ડર છે છેલ્લા ઘણા દિવસોથી તેની હલનચલનને લઇને અહેવાલ મળી રહ્યાં છે. પહેલા પંજાબ અને ત્યારબાદ રાજસ્થાનમાં જાકિર મૂસા જોવા મળ્યો હતો.
આ પહેલા પણ ઇનપુટ મળ્યા હતા કે મૂસા અંદાજે 7 સાથીઓ સાથે પંજાબમાં ઘૂસ્યો હતો. થોડા દિવસ પહેલા જ જાકિર મૂસા પોતાના સાથીઓ સાતે અમૃતસરમાં જોવા મળ્યો હતો.
જાકિર બુરહાન વાણીના વિસ્તાર ત્રાલ ક્ષેત્રનો રહેવાસી છે જેણે બુરહાન વાણીના મોત પછી ગ્રુપનું નેતૃત્વ સંભાળ્યું છે. તે આતંકી સંગઠનમાં જોડાયો તે પહેલા ચંદીગઢ કોલેજમાં એન્જીનયરિંગનું ભણતો હતો.