વજન વધતાની સાથે જ ઘણી બીમારીઓ ઘર કરી જાય છે જેમ કે, શ્વાસ ફુલવો, સાંધામાં દુખાવો, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હાર્ટ એટેક કે કિડની સંબંધિત બીમારીઓ. છાતી અને પેટના ભાગમાં ચરબીનો જમાવડો, શ્વાસ લેવામાં તક્લીફ પડવી આવી બીમારીઓને દૂર કરવા તમારે વજન ઘટાડવાની જરૂર છે. વજન ઘટાડવા સૌથી વધુ જરૂરી છે જેટલી ઉર્જાની જરૂર હોય તેનાથી થોડી ઓછી ઉર્જા શરીરને આપો. તે માટે કાં તો જરૂર કરતાં ઓછી કેલરી લો અથવા તો વધુ વ્યાયામ કરો. આ બે કામ જો નિયમિત કરશો તો તમારું વજન ચોક્કસ ઘટશે અને વધશે પણ નહીં.
વજન વધતાની સાથે જ ઘણી બીમારીઓ ઘર કરી જાય છે
આ બે કામ જો નિયમિત કરશો તો તમારું વજન ચોક્કસ ઘટશે
ખાન-પાનની આદતમાં સુધારો
ખાન-પાનની આદતમાં સુધારો
વજન ઘટાડવા દર્દીએ સૌ પહેલાં તો ખાન-પાનની આદત સુધારવી જરૂરી છે. ડાયટિશિયનની મદદથી તેઓ તેમના સંતુલિત આહારનો ચાર્ટ બનાવી શકે છે અને તેને દ્રઢતાથી ફોલો પણ કરવું જરૂરી છે. ભાવતું ભોજન જોઈ તેના પર તુટી પડવું કે ભૂખ કરતાં વધુ ખાવાની ટેવ આપના શરીરમાં ચરબીનો થર જમા કરી શકે છે. ચાવ્યાં વગર ખાવું કે ઝડપથી પતાવવા માટે ખાવું, ખુબ ચટાકેદાર તીખુ તમતમતું ભોજન પણ સ્વાસ્થ્ય માટે નુક્શાન કારક છે. ચા-કોફીની વધુ પડતી આદત પણ આપના સ્વાસ્થ્ય માટે નુક્શાન કારક છે.
એવો ખોરાક લો જે વજન ઘટાડે
જેટલું જરૂરી છે તે ખાવું યોગ્ય છે પણ એવો ખોરાક લેવો વધુ આવશ્યક છે જે સ્વાસ્થ્ય પ્રદ પણ હોય. આપના ભોજનની ક્વોલિટી પણ જરૂરી છે. એવું ભોજન ન લો જેનાથી વજન વધે જ. એટલે કે શરીરમાં ચરબીનું પ્રમાણ વધે તેવા ખોરાકથી દૂર રહો. જેમ કે વધુ ચરબી વાળો ખોરાક ચીઝ, ચીકન,મટન, ફ્રાઈડ વસ્તુઓ, જંકફૂડ, પિઝા, ઘી તેલથી ભરપુર ખોરાક ટાળો, આપ ભોજનમાં દાળ, ફ્રુટ્સ, લીલા શાકભાજી, બાફેલા ખોરાકનું પ્રમાણ વધારી શકો છો. તે સ્વાસ્થ્ય વર્ધક હોય છે અને વજન પણ વધારતા નથી.
કેલરીનું પ્રમાણ
સ્વાસ્થ્ય માટે કેલરીનું બેલેન્સ કરતાં શીખો, ઓછી ચરબી અને કાર્બોહાઈડ્રેટવાળુ ભોજન લો, તેમાં પોષક તત્વો અને અન્ય વિટામીન્સનું પ્રમાણ વધુ હોવું જોઈએ. તમે જો દરરોજ એક કલાકની વોક કરો છો તો તમારી 240 કેલરી વપરાય છે તેથી દરરોજ એક કલાક એક્સરસાઈઝ કે દોડવાની ટેવ પાડી લો.
તરલ પદાર્થનું સેવન વધારો
શરીરમાં પાણી તેમજ જ્યુસનું પ્રમાણ સારું એવું હોવું જોઈએ. તેને કારણે ચહેરા પર તેજ જળવાઈ રહે છે. તેને કારણે આપને વધુ સારી સ્કિન, અને શરીરને વધુ એનર્જી મળી રહે છે.