જો તમે શનિ અને રાહુ દોષથી છુટકારો મેળવવા માંગતા હોવ તો મકરસંક્રાંતિના દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી લાભ મેળવી શકો છો.
મકરસંક્રાંતિના દિવસે આ વસ્તુનું દાન કરવું શુભ માનવામાં આવે
આ વસ્તુનું દાન કરવાથી અનેક દોષોમાંથી મુક્તિ મળે છે
આ સાથે જ શનિ અને રાહુ દોષથી છુટકારો મળે છે
હિંદુ ધર્મમાં મકરસંક્રાંતિનું ખૂબ મહત્વ છે. વૈદિક કેલેન્ડર અનુસાર, આ વર્ષે મકરસંક્રાંતિ 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. મકરસંક્રાંતિના શુભ તહેવાર પર પવિત્ર નદીમાં સ્નાન કર્યા બાદ સૂર્યદેવની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દિવસે સૂર્ય ભગવાન મકર રાશિમાં આવે છે જે તમામ રાશિઓ પર અસર કરે છે. આ દિવસે સવારે 08:21 કલાકે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. મકરસંક્રાંતિના દિવસે દાન કરવું શુભ માનવામાં આવે છે. આમ કરવાથી શુભ ફળ મળે છે અને આ સાથે અનેક દોષોમાંથી મુક્તિ મળે છે. જો તમે શનિ અને રાહુ દોષથી છુટકારો મેળવવા માંગતા હોવ તો મકરસંક્રાંતિના દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી લાભ મેળવી શકો છો. ચાલો જાણીએ આ દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ.
કાળા તલનું દાન
મકરસંક્રાંતિના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કર્યા પછી ગરીબ અને જરૂરિયાતમંદોને કાળા તલનું દાન કરવાથી શનિ દોષમાંથી મુક્તિ મળે છે.
અડદ:
મકરસંક્રાંતિના દિવસે અડદની દાળ અથવા તેમાંથી બનાવેલી ખીચડીનું દાન ગરીબોને કરવું જોઈએ. આ દાન શનિ દોષને દૂર કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
ઉનના કપડા કે ધાબળાઃ
મકરસંક્રાંતિના દિવસે ગરીબ અને જરૂરિયાતમંદોને ઊનના કપડા અને ધાબળા દાન કરવાથી રાહુ દોષમાંથી મુક્તિ મળે છે.
ગોળનું દાનઃ
મકરસંક્રાંતિના દિવસે ગોળનું દાનકરવાથી સૂર્ય અને શનિદેવ પ્રસન્ન થાય છે