આણંદ જિલ્લાનું ભાદરણ ગામ આઝાદી સમયે દીવાલ પર લખાયેલા સૂત્રો આજે પણ અકબંધ રાખીને ઇતિહાસને પોતાની શેરીઓમાં જીવંત રાખીને બેઠું છે.
આણંદનું ભાદરણ ગામ જ્યાં દીવાલોમાં દેખાય છે રાષ્ટ્રપ્રેમ
અહીં સચવાયો છે સંઘર્ષનો ઇતિહાસ
75 વર્ષથી જીવની જેમ થાય છે જતન
દેશ આજે આઝાદી કા અમૃત મહોત્સની ઉજવણી કરી રહ્યો છે ત્યારે એક એવું ગામ જેને આઝાદીની ચળવળના સંભારણા આજે પણ જીવની જેમ સંગ્રહ કર્યા છે. આ ગામ એટલે આણંદ જિલ્લાનું ભાદરણ જયા મકાનોની દીવાલો પર આઝાદીની ચળવળ દરમિયાન અંગ્રેજોને ભારત છોડવા લખેલા ભીંત સૂત્રો આજે પણ હયાત છે મહત્વ ની વાત તો એ છે કે આટલા વર્ષો બાદ પણ આ ભીંત સૂત્રોનું જતન કરી આ ગામ લોકો દેશપ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.
ભાદરણ ગામના લોકોનો રાષ્ટ્રપ્રેમ
એક સમય ગાયકવાડી સ્ટેટમાં આવતું અને આજે મીની પેરિશ તરીકે જાણીતું આ છે આણંદ જિલ્લાનું ભાદરણ ગામ કે જે ગામના લોકો એ પણ આઝાદીની ચળવળમાં મહત્વનું યોગદાન આપ્યું છે. આઝાદીની ચળવળની તો ગાયકવાડી સ્ટેટમા આવતા આ ગામને ક્રાંતિકારીઓ માટે સલામત સુરક્ષિત માનવામાં આવતું હતું કારણ કે ગાયકવાડી ગામ હોય અંગ્રેજો અહીં ફરકી પણ નહોતા શકતા આઝાદીની ચળવળ દરમિયાન ક્રાંતિકારીઓએ ભાદરણ ગામના જાહેર માર્ગો પર આવેલ કેટલાક મકાનો પર હિન્દ છોડો ,ગો બેક ઇન્ડિયા ,કવીટ ઇન્ડિયા , જેવા અનેક ભીંત સૂત્રો લખ્યા હતા.
ગામની દીવાલો જાણે રાષ્ટ્રને અર્પણ
દેશ ગુલામીમાથી મુક્ત થયો સમય સાથે પરિવર્તન આવતું હોય છે અને પ્રજા ધીરે ધીરે બધું વિસરી જતી હોય છે આજની યુવા પેઢીને કદાચ આઝાદીની ચળવળ દરમિયાનના બલિદાનો અને ક્રાંતિકારીઓએ ભીંત સૂત્રો સ્વરૂપે લખેલ પોતાના વિચારોનો ખ્યાલ પણ નહિ હોય ત્યારે આ ગામના લોકો દ્વારા આઝાદીની ચળવળના સંભારણા આજે પણ જાળવી રાખવામાં આવ્યા છે જેથી કરી યુવા પેઢી આઝાદીની ચળવળથી અવગત થાય મહત્વની વાત તો એ છે કે જે મકાનો પર લખાણ લખવામાં આવ્યા છે તે મકાનોના માલિકો દ્વારા ભીંત સૂત્રોના સંભારણા કાયમ રહે તે માટે મકાનોનું રીનોવેશન પણ કરવામાં નથી. આવતું આઝાદીની ચળવળની યાદોના સંભારણા અટલા વર્ષો બાદ પણ સંગ્રહ કરી આ ગામ દેશ પ્રેમનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે.