વલસાડના સેલવાલમાં ભારે વરસાદને પગલે એક દૂર્ઘટના ઘટી હતી. આ હોનારતમાં 5 લોકોના જીવ ગયા છે જ્યારે 2 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો?
સેલવાસની એક કંપનીની દીવાલ પડી
દીવાલ પડતાં 5 ના મોત 2ની હાલત ગંભીર
સુરંગીમાં નવી બની રહેલી કંપનીની દિવાલ ધરાશાયી
વલસાડ સેલવાસની એક કંપનીની દિવાલ રાતે ધરાશાયી થી હતી. દિવાલ પડતાં 5 લોકોના મોત થયા હતા જ્યારે 2 લોકોને ગંભીર ઈજાઓ થતા તેમની હાલત હાલ ગંભીર છે. સુરંગીમાં નવી બની રહેલી કંપનીની દિવાલ ધરાશાયી થઈ હતી. જે કંપનીની દિવાલ પડી ગઈ હતી તેનું નામ મહેશ્વરી ઇન્ડસ્ટ્રીઝ છે. ગઈ કાલે ભારે વરસાદને કારણે મોડી રાતે આ ગોઝારી ઘટના ઘટી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી.
ભારે વરસાદની આગાહી છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં સારા વરસાદ પડે તેવું હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે
વલસાડના ઉમરગામ પંથકમાં મેઘરાજા મહેરબાન થયા છે. ઉમરગામમાં છેલ્લા 24 કલાકમાં 14.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે ઉમરગામના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. સંજાણ વિસ્તારમાં પાણી ભરાતા લોકો હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ NDRF ટીમ દ્વારા પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવ્યું છે.