પણ શું તમે જાણો છો કે ચાલવાથી હાર્ટ અટેકનો ખતરો પણ ટળી શકે છે? દરરોજ કેટલું ચાલવાથી હ્રદય સ્વસ્થ રહે છે એ વિશે આજે અમે તમને જણાવશું..
ચાલવાથી હાર્ટ અટેકનો ખતરો પણ ટળી શકે છે
નિયમિતપણે ચાલવાથી સ્નાયુઓ મજબૂત બને છે
હ્રદયને સ્વસ્થ રાખવા માટે અપનાવો આ ઉપાયો
શરીરને ફીટ અને સ્વસ્થ રાખવા માટે ચાલવું ખૂબ જ જરૂરી છે. ચાલવાથી હૃદય અને ફેફસાં બંને સ્વસ્થ રહે છે સાથે જ શરીરમાં સ્ફૂર્તિ પણ રહે છે. આ સાથે જ રોજ ચાલવાથી શરીરને પૂરતું ઓક્સિજન પણ મળી રહે છે અને પાચનક્રિયા સ્વસ્થ રહે છે. આ સિવાય ચાલવાના ઘણા ફાયદા છે. પણ શું તમે જાણો છો કે ચાલવાથી હાર્ટ અટેકનો ખતરો પણ ટળી શકે છે? દરરોજ કેટલું ચાલવાથી હ્રદય સ્વસ્થ રહે છે એ વિશે આજે અમે તમને જણાવશું..
એક સ્ટડી મુજબ દર અઠવાડિયે 200 થી 400 મિનિટ ચાલવાથી હૃદયની બીમારીઓનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે. એવરેજ તમારે એક દિવસમાં ઓછામાં ઓછા અડધાથી એક કલાક ચાલવું જોઈએ. આ સિવાય દરરોજ 2- થી 30 મિનિટ જોગિંગ કરવાથી હૃદય સ્વસ્થ રહે છે. નિયમિત રીતે જોગિંગ કરવાથી અને ચાલવાથી હૃદયની બીમારીઓનું જોખમ કેવી રીતે ઓછું થાય ચાલો જાણીએ..
ચાલવાથી હૃદયની બીમારીઓનું જોખમ ઘટે
હાર્ટ ફેલ એક ક્રોનિક કન્ડિશન છે જેમાં હૃદય શરીરના અન્ય ભાગોમાં પૂરતા પ્રમાણમાં લોહી પંહોચાડવામાં અસમર્થ રહે છે. આ સ્થિતિમાં હૃદયની પમ્પિંગની ગતિ ધીમી પડી જાય છે. કેટલાક પરિબળો છે જેવા કે વજનમાં વધારો, કાર્ડિયો-મેટાબોલિક સ્થિતિ, હાઈ બ્લડ પ્રેશર અને ટાઇપ-2 ડાયાબિટીસ જે હાર્ટ ફેલનું કારણ બની શકે છે. નિયમિતપણે ચાલવા અને કસરત કરવાથી હૃદયની તંદુરસ્તી જાળવવામાં અને સ્નાયુઓને મજબૂત રાખવામાં મદદ મળે છે.
શાકભાજીનું કરો સેવન
હૃદયને મજબૂત રાખવા માટે લીલા શાકભાજીનું સેવન કરવું ખૂબ જ ઉપયોગી ગણવામાં આવે છે. પાલક, બ્રોકોલી, કોબી જેવા લીલા પાંદડાવાળા શાકભાજીમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે, જે હાઈ બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ જેવા હૃદયના રોગોને દૂર રાખવામાં મદદ કરે છે.
હ્રદયને સ્વસ્થ રાખવા માટે અપનાવો આ ઉપાયો
જો તમારે સ્વસ્થ હૃદય રાખવું હોય તો ધૂમ્રપાન કરવાનું ટાળવું જોઈએ
દરરોજ ચાલવું, કસરત અને જોગિંગ કરવું જોઈએ,
હેલ્થી ડાઈટ.
સ્ટ્રેસથી ફર રહેવું જોઈએ
ડાયાબિટીસ અથવા બ્લડ પ્રેશરના દર્દી છો તો દરરોજ શુગર અને બીપી ચેક કરી યોગ્ય ઉપચાર કરવો જોઈએ