વ્યસ્ત શેડ્યૂલના કારણે આજકાલ લોકો એટલા થાકી જાય છે કે ખાવાનું ખાધા બાદ સીધા ઊંઘવા જાય છે. આ જ કારણ છે કે સતત જિમ અને એક્સરસાઇઝ કર્યા બાદ પણ વજન ઊતરતું નથી. રાતે ડિનર બાદ માત્ર 15 મિનીટનું વોક વજન કંટ્રોલ કરે છે પરંતુ એનાથી ઘણા પ્રકારની બિમારીઓનો ખતરો પણ ઓછું રહે છે.
પ્રયત્ન કરો કે ખાવાનું ખાધા બાદ તમે દરરોજ ઓછામાં ઓછું 15 મિનીટનું વોક જરૂરથી કરો. ચલો તમને જણવી દઇએ કે રાતે ચાલવાનો તમને શું શું ફાયદો મળે છે.
હાર્ડ વર્કઆઉટની જગ્યાએ તમે ડિનર બાદ માત્ર 15 મીનિટનું વોક કરો. એનાથી વજન ઓછું થશે સાથે સાથે ટાઇ 2 ડાયાબિટીસનું જોખમ પણ ઓછું રહેશે. વાસ્તવમાં વોક કરવાથી તમારું ખાવાનું સરળતાથી પચી જાય છે. જેનાથી પાચન ક્રિયા દુરુસ્ત રહે છે અને તમે બિમારીઓથી બચીને રહો છો.
ડિનર કર્યાના આશરે 15 મીનિટ બાગ વોક કરવા માટે જાવ આશરે 500 મીટર સુધી ચાલો. ખાવાના તરત બાદ ચાલવાથી બચો કારણ કે એનાથી પાચન ક્રિયા પર ખોટી અસર પડે છે.
ડિનર બાદ ચાલવાના ફાયદા
ભોજન બાદ શરીરમાં પાચન ક્રિયા શરૂ થઇ જાય છે. પરંતુ હવે જ્યારે તમે ખાવાનું બરોબર ચાવતા નથી અથવા એના તરત બાદ તમે પાણી પી લો છો તો પાતન ક્રિયા ધીમી થઇ જાય છે અને પાચનશક્તિ પણ ખરાબ થઇ જાય છે. એટલા માટે ડિનર બાદ વોક જરૂરથી કરો.
વ્યસ્ત શેડ્યૂલની અસર ઊંઘ પર તો પડે જ છે સાથે સાથે એનાથી તણાવનો સામનો પણ કરવો પડે છે. પરંતુ જમ્યા બાદ ચાલવાથી બ્લડ સર્કુલેશન વધે છે, જેનાથી ઊંઘ પણ સારી આવે છે.
શોધ પ્રમાણે વ્યાયમની સરખામણીએ ચાલવાથી વધારે ફાસ્ટ કેલેરી બર્ન થાય છે. ડિનરના તરત બાદ ઊંઘવાથી કેલેરી બોડીમાં જ જમા થઇ જાય છે અને વજન ઓછું થવાની જગ્યાએ વધી જાય છે.
જમ્યા બાદ માત્ર 30 મીનિટ ચાલવાથી ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ ઓછું થાય છે. સાથે જ એનાથી શરીરમાં બ્લડ શુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે, જે ડાયાબિટીસ માટે ફાયદાકારક છે.