અંધારી રાત પછી સુંદર સવારથી દિવસની શરૂઆત થાય છે. આપણે બધા માનીયે છીએ કે જો સવારની શરૂઆત સારી થાય તો આખો દિવસ સારો જાય છે.
કેટલાક લોકો સવારે ઉઠતા ભગવાનનુ નામ લેવુ પસંદ કરે છે તો કેટલાક પોતાની હથેળીનો દર્શન કરે છે તો કેટલાક કોઈ એવા માણસનો ચેહરા જોવો પસંદ કરે છે.
અમુક લોકો ઘરેથી નીકળતા સમયે દહીં ખાય છે. કારણ કે દહીને પવિત્ર માનવામાં આવે છે. જ્યોતીષ શાસ્ત્ર મુજબ દહીંમાં એટલા ગુણો છે જેને ખાવાથી શરીરને બીમારી સામે લડવાની તાકાત મળે છે.
સાથે તન-મનમાં હકારાત્મકતાનો સંચાર થાય છે. અને નકારાત્મક શક્તિઓનો નાશ હોય છે. કદાચ આ કારણોસર અનેક પૂજામાં પણ દહીંની હાજરી જોવા મળે છે. સવારમાં સ્નાન પછી ઘરના દેવઘરમાં કે મંદિરમાં તુલસીના પાન ફૂલ લાલ કપડાં સવારે અર્પિત કરો.
ફળ અથવા મીઠાઈ નો ભોગ લગાવો. ધુપ-દીપ કરી પાસે બેસી તુલસીની માળાથી તુલસી ગાયત્રી મંત્રનું 108 વાર સ્મરણ કરો. અંતે તુલસીની પૂજા કરો પછી. તુલસીના પાદડાનું સેવન કરો અને કરાવો.
આ ઉપરાંત ઘરમાં અનાજ વસ્ત્ર અને વૈભવનો સમાવેશ કાયમ રહે એ માટે સવારે શરીરે શુદ્ધ વસ્ત્રો ધારણ કરી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતા પવિત્ર ભાવનાથી 9 એંગલવાળો સાથિયો 90 ડિગ્રીના એંગલમાં બધા એંગલ સરખા આવે એ રીતે બનાવો.
કેસરથી કુમકુમથી સિન્દુરથી અને તેલના મિશ્રણથી અનામિકા આંગળીથી બ્રહ્મ મુહુર્તમાં વિધિપૂર્વક બનાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો આગમન થાય છે. સ્વાસ્તિક્માં લગભગ 1 લાખ સકારાત્મક ઉર્જાઓનો અસ્તિત્વ હોય છે.
આપરાંત ઘરેથી બહાર જાઓ ત્યારે અને સવારે ઉઠી નિત્યક્રમ પતાવી માતા-પિતાનો આશીર્વાદ મેળવો માતા-પિતાના ચરણ શ્પર્શ કરો જેથી તમારા કોઇપણ કાર્યમાં કઇ વિધ્ન આવ્યા વગર પૂર્ણ થશે.