ભારતીય રેલ્વેના યાત્રીઓની સુવિધા માટે નવી સેવા શરૂ કરી દીધી છે જેમાં ટ્રેનમાં સફર કરનારા આરએસી અને વેટિંગ ટિકિટ ધારકોને કન્ફર્મ ટિકિટ સરળતાથી મળી જશે. રેલ્વે એ દેશભરના ટિકિટ નિરીક્ષકોને હવે એક ટેબ્લેટ આપ્યુ છે જેની મદદથી તેઓ ચાલતી ટ્રેનમાં સીટોની ઉપલબ્ધતા વિશે રિયલ ટાઇમના આધાર પર જાણકારી અપડેટ કરશે.
અત્યાર સુધી રેલ્વે યાત્રીઓ માટે નિયમ હતો વેટિંગ ટિકિટ ધરાવતા લોકો યાત્રા નહી કરી શકે. માત્ર વિધવા અવથા તો કાઉન્ટરથી ખરીદેલી વેટિંગ યાત્રીઓ પોતાની શ્રેણીમાં દિવસ દરમિયાન સફર કરી શકે છે. આ નિયમ ઓનલાઇન બુક કરાવવામાં આવેલી ટિકિટ પર લાગૂ થતો નથી. ઓનલાઇન બુક કરાવવામાં આવેલી ટિકિટ યાત્રી અત્યારે પણ યાત્રા નહી કરી શકે અને આમ કરતા ઝડપાયા તો તેઓ ટિકિટ વગર યાત્રા કરતા જવાબદાર માનવામાં આવશે.
શતાબ્દી રાજધાનીમાં પહેલા શરૂ કરવામાં આવી સેવા:
હવે IRCTC વેટિંગ યાત્રીઓ માટે આ સેવા આપતા કહ્યુ કે ચાર્ટ બન્યા પછી પણ જે યાત્રીઓના નામ હશે તેઓ સફર કરી શકશે. એવામાં આ યાત્રીઓને યાત્રા કરવા પર કોઇ પ્રકારનો દંડ આપવો નહી પડે જેમની ટિકિટ વેટિંગ યાદીમાં હશે. હાલમાં આ ટ્રેનોમાં કાર્યરત ટિકિટ નિરીક્ષકોને એવા ટેબ્લેટ ડિવાઇસ આપવામાં આવી રહ્યા છે જેની મદદથી ખાલી સીટોના વિશે જાણ થશે. સૌથી પહેલા સુવિધાને શતાબ્દી તથા રાજધાનીમાં શરૂ કરવામાં આવી છે પરંતુ હવે તમામ ઝોનમાં લાગૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ચાર્ટ બન્યા પહેલા જ કરાવવી પડશે ટિકિટ કેન્સલ:
જો તમે મુસાફરી કરવા નથી ઇચ્છતા તો ચાર્ટ બન્યા પહેલા જ તમારે ટિકિટ કેન્સલ કરાવવાની રહેશે. ચાર્ટ બન્યા પહેલા કરવામાં આવેલી ટિકિટ કેન્સલ પર રેલ્વેની તરફથી રિફન્ડ મળશે. જો ચાર્ટ બન્યા પછી ટિકિટ કેન્સલ કરાવો છો તો કોઇ રિફન્ડ નહી મળે. જો તમે આમ ટિકિટ પર રિફન્ડ લેવા ઇચ્છો છો તો પછી [email protected] પર જલ્દીથી જલ્દી ઇમેલ કરીને દાવો કરી શકો છો. રેલ્વે પછી આ પ્રકારની ટિકિટ પર નિર્ણય લઇને રિફન્ડ કરશે.
આ રીતે કરશે કામ:
- આ ડિવાઇસની મદદથી GPRSની મદદથી ચાર્ટ અને કરન્ટ બુકિંગ વિશે તરત જ જાણકારી મળી જશે.
- આ સાથે જ વચ્ચે આવતા તમામ નાના સ્ટેશનોના ચાર્ટ પણ ડાઉનલોજ કરી શકાશે જેથી ત્યાંની રિઝર્વેશનની પણ જાણકારી મેળવી શકાશે.
- તમામ કલાકની લિસ્ટ અપડેટ કરવામાં આવશે.
- યાત્રી કોઇ પણ કોચમાં યાત્રા કરી રહ્યો હશો તેની ટ્રેનમાં હોવી સૂચના કોઇ પણ ડિવાઇઝથી મોકલી શકાશે.
- યાત્રી પોતાની બુક થયેલી શ્રેણીને પણ આ ડિવાઇસની મદદથી અપગ્રેડ કરી શકશે