જો તમારે જાણવું છે કે તમને ડાયાબિટીઝ છે કે નહી તો તમારે બહાર જઇને ટેસ્ટ કરાવવાની જરૂર નથી તમારી કમર અને સાથળની ચરબીના થર પરથી ખબર પડી જશે કે ડાયાબિટીઝ છે કે નહી. જો તમારી કમરની ચરબી વધારે અને સાથળની ચરબી વધારે છે તો તમને ડાયબીટિઝ થવાનો ભય સૌથી વધારે છે અને જો કમરની ચરબી ઓછી અને સાથળની ચરબી વધારે છે તો ડાયાબીટિઝ થવાની શક્યતા ઓછી છે.
વાસ્તવમાં દિલ્હીના ડૉક્ટરોઅ ડાયબીટિઝની જાણકારી મેળવવા માટે એક નવી સ્ક્રીનિંગ સિસ્ટમ ડેવલપ કરી છે જેમાં લોકો ઘરે બેસીને જાણી શકશે કે તેમને ડાયાબિટીઝ છે કે નહી. કમર અને સાથળનો રેશ્યો જો 2.3 થી વધારે છે તો 90% ચાન્સ છે કે તમને ડાયાબિટીઝની શક્યતા વધી જશે.તાજેતરમાં જ દિલ્હીની શ્રી ગંગારામ હોસ્પિટલમાં જે રિસર્ચ થયું છે તે જાણીને તમે સાથળ પર જામેલી ચરબી અંગે ચિંતા કરવાનું છોડી દેશો. 1055 દર્દીઓ પર થયેલા સંશોધન મુજબ જે દર્દીઓને સાથળ પર વધારે ચરબી હોય તેમને ડાયાબિટીસ થવાની શક્યતા ઘટી જાય છે. આ અભ્યાસનો આશય ડાયાબિટીસના નિદાન પાછળ થતા ખર્ચને ઘટાડવાનું હતું.
તાજેતરમાં જ આ સંશોધનના તારણો ઈન્ડિયન જર્નલ ઓફ એન્ડોક્રિનોલોજી એન્ડ મેટાબોલિઝમમાં પબ્લિશ થયા હતા. તેમના સંશોધન મુજબ જો સાથળનો ઘેરાવો વધારે હોય તો તેના પરથી ડાયાબિટીસનું નિદાન થઈ શકે છે. અભ્યાસ મુજબ પેટ અને સાથળ બંને વધારે હોય તો ડાયાબિટીસ થવાની શક્યતા વધારે રહે છે પરંતુ જો કમર પાતળી હોય અને સાથળ વધારે હોય તો તેવા સંજોગોમાં ડાયાબિટીસનું જોખમ ઘટી જાય છે.
સંશોધનમાં માલુમ પડ્યું કે ડાયાબિટીસના દર્દીઓનો કમરનો ઘેરાવો ડાયાબીટિસ ન હોય તેવા લોકો કરતા વધારે હોય છે. તેમના સાથળનો ઘેરાવો ડાયાબીટિસ ન હોય તેવા લોકો કરતા ઓછો હોય છે. સંશોધકોના જણાવ્યા મુજબ આ રીત દર્દીને ડાયાબીટિસ છે કે નહિં તેનો અંદાજો લગાવવાની સૌથી સરળ રીત છે.
આ રિસર્ચના કો ઓથર તથા સિનિયર કન્સલ્ટન્ટ ડો. અતુલ કાકરે જણાવ્યું “આપણા એશિયન્સમાં પેટ મોટા અને સાથળ પાતળા હોય છે. આપણે પેટના ભાગમાં વધારે પડતી ચરબી હોય છે જેથી આપણને ડાયાબીટિસ થવાની શક્યતા વધારે છે.”