મેં રહું યા ના રહું મેરા દેશ રહેના ચાહીએ. દેશના વિરો પર બનેલી આ ધૂન પર જાણે સુરતીઓ ગદગદ થઈ ગયા હતા. ગુજરાતમાં ડાયરાઓ થાય અને લાખો રૂપિયા ના ઊડ઼ે તે શક્ય નથી. સુરતમાં પણ ડાયરો થયો. પરંતુ આ ડાયરો દેશના વીર સપૂતને શ્રદ્ધાંજલી આપવા માટે હતો. જેમાં લાખો રૂપિયા આજે શહીદોના નામે ગગન ચૂમી રહ્યા હતા. સુરતીઓએ શહીદના બલિદાન પર મહાદાનની વર્ષા કરી હતી.
આ ગુજરાતીઓની દેશના વીર સપૂતોને શ્રદ્ધાંજલી છે. જેઓ એ મા ભોમની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતી આપી છે. નાપાક પાકિસ્તાની આતંકીઓએ જે રીતે પુલવામાં જવાનોના કાફલા પર આત્મઘાતી હુમલો કર્યો. તેમાં 44 જવાનો શહીદ થયા. તેને લઈને સમગ્ર દેશમાં આક્રોષ છે. પરંતુ સાથે-સાથે એ 44 પરિવારોનો આંશુને જોતા દુખી પણ છે. જોકે તેમના આશું પોછવા તો દરેક નથી જઈ શકવાના પરંતુ તેમના સમાજે તેમની ભુમિકા નિભાવવા લાખો કરોડો રૂપિયાનું દાન મોકલ્યું છે. ગુજરાતમાં આવા જ દ્રશ્યો જોવા મળ્યા. સુરતમાં જવાનોને શ્રદ્ધાંજલી આપવા ગીતા રબારીનો લોક ડાયરો યોજાયો હતો. જેમાં વીર જવાનોની શહાદત પર સુરતીઓએ કાંઈક આવી રીતે દાન વર્ષાવ્યું.
જુઓ આ ડાયરાના રંજ... રૂપિયા એવી રીતે ઉડી રહ્યા છે કે જાણે ફૂલોનો વરસાદ થઇ રહ્યો હોય. ગીતા રબારીના દેશના વીરોને શ્રદ્ધાંજલી અર્પિત કરતા આ સૂર સાંભળતા જ જાણે લોકો મનમૂકી રૂપિયાની વર્ષા કરવા લાગ્યા. રાધેકૃષ્ણ ગૃહ દ્વારા આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગૃપ દ્વારા વીર જવાનોના પરિવારને 5 લાખ રૂપિયાનું ચેક દ્વારા પણ દાન કરવામાં આવ્યું હતું. જ્યારે આ ડાયરામાંથી જે ભંડોળ ભેગું થયું તે તો અલગ જ છે. ભલે લોકો લડવા તો નથી જઈ શકતા પરંતુ દેશના વીર શહીદ જવાનોના પરિવાર માટેનું આ મહા બલિદાન સૌથી મોટી શ્રદ્ધાંજલી છે.