સુરેન્દ્રનગરનો જવાન ભારતીય સેનામાં અરૂણાચલ પ્રદેશના ગૌહાટીમાં ફરજ બજાવતો હતો. ફરજ દરમિયાન જવાનનું આકસ્મિક મોત થયુ હતુ. ત્યારે આજે વઢવાણ ખાતે અંતિમયાત્રા નીકળી હતી. જેમાં નાત-જાતને ધ્યાને રાખ્યા વિના જ તમામ ધર્મના લોકોએ ભારત માના પનોતા લાલને સલામી આપી હતી.
સુરેન્દ્રનગરનો આર્મી જવાન શહીદ
ફરજ દરમિયાન જવાનનું નિપજ્યુ હતુ આકસ્મિક મોત
ગાર્ડ ઓફ ઓનર સાથે વઢવાણથી નીકળી અંતિમયાત્રા
સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે શહીદ થયેલા આર્મી જવાન ભરતસિંહ પરમારને અંતિમ વિદાય અપાઇ હતો. અરૂણાચલ પ્રદેશના ગૌહાટીમાં ભરતસિંહ પરમાર ફરજ બજાવતા હતા. ફરજ દરમિયાન જ તેમનું આકસ્મિક કોઇ કારણોસર મૃત્યુ થઇ જતાં. તેમના પાર્થિવ દેહને વતન વઢવાણ લવાયો હતો અને અહીં તેમને ગાર્ડ ઓફ ઓનર સાથે ભીની આંખે અંતિમ વિદાય અપાઈ હતી. વીર જવાનની અંતિમ યાત્રામાં આર્મી અધિકારીઓ અનો મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
વઢવાણ શહેરમાંથી શહીદ ભરતસિંહ પરમારની શહીદ યાત્રા નીકળી હતી. ગુજરાતભરમાંથી રાજપૂત સમાજના લોકો ઉમટી પડ્યા હતા. વઢવાણની મુખ્ય બજારો અને દુકાનદારોએ સ્વૈચ્છીક બંધ પાળ્યો હતો. સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઇ હતી.
વઢવાણ ખાતે આવેલા સ્મશાન ઘાટ ખાતે પૂરા માન-સન્માન સાથે તેમના પાર્થિવ દેહને પંચમહાભૂતમાં વિલિન થયો હતો ત્યારે વઢવાણમાં તેમજ ખારવાની પોળ વિસ્તારમાં ભારે શોકનો માહોલ છવાઇ જવા પામ્યો છે.
વઢવાણના દેવુભા પરમારના પુત્ર હતા શહિત ભરતસિંહ પરમાર. શહિદ ભરતસિંહને એક 10 વર્ષનો પુત્ર છે. તેમના પત્ની પાયલબા પિયરમાં પ્રસંગ હોવાથી ગયા હતા. તેમને ગઇકાલે મોડી રાત્રે જાણ કરાઇ હતી. પરિવારમાં પત્ની-પુત્ર, માતા-પિતા, ભાઈ-બહેન સહિતના પરિવારજનોમાં ભારે શોકનો માહોલ છવાઇ જવા પામ્યો હતો