2013માં વ્યાપમ પોલીસ ભરતીમાં થયેલા કૌભાંડમાં સ્પેશિયલ CBI કોર્ટે તમામ 31 આરોપીઓને દોષી જાહેર કર્યા છે. હવે આ સંબંધમાં 25 નવેમ્બરે નિર્ણય સંભળાવાશે. CBIની તરફથી 31 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. તમામ આરોપી જામીન પર હતા, તેમને નિર્ણય આવ્યા બાદ કસ્ટડીમાં મોકલી દેવાયા.
વ્યાપમ કૌભાંડમાં સ્પેશિયલ CBI કોર્ટે તમામ 31 આરોપીઓને દોષી જાહેર કર્યા
CBIની તરફથી 31 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી
શું છે મામલો
વ્યાપમમાં ગરબડીનો મોટો ખુલાસો 7 જુલાઇ 2013ના દિવસે પહેલીવાર પીએમટી પરીક્ષા દરમિયાન ત્યારે થયો, જ્યારે ઇન્દોરની ક્રાઇમ બ્રાન્ચે એક ગેન્ગની ધરપકડ કરી હતી. આ ગેન્ગ પીએમટી પરીક્ષામાં ડમી વિદ્યાર્થીઓને બેસાડવાનું કામ કરતી હતી. મુખ્યમંત્રી ચૌહાણે આ મામલાને ઓગસ્ટ 2013માં STFને સોંપી દીધો હતો.
હાઇકોર્ટ આ મામલા સંજ્ઞાન લીધુ અને તેણે હાઇકોર્ટના રિટાર્યડ જજ ચંદ્રેશ ભૂષણની અધ્યક્ષતામાં એપ્રિલ 2014માં SIT ગઠિત કરી, જેની દેખરેખમાં STFએ તપાસ કરી. 9 જુલાઇ 2015એ મામલો CBIને સોંપવાનો નિર્ણય લેવાયો અને 15 જુલાઇથી CBIએ તપાસ શરૂ કરી હતી.
સરકારના પૂર્વ મંત્રી લક્ષ્મીકાંત શર્મા, તેમના ઓએસડી ઓપી શુક્લા, BJP નેતા સુધીર શર્મા, રાજ્યપાલના ઓએસડી રહેલા ધનંજય યાદવ, વ્યાપમના નિયંત્રક રહેલા પંકજ ત્રિવેદી, કોમ્પ્યૂટર એનાલિસ્ટ નીતિન મોહિદ્રા જેલ જઇ ચૂક્યા છે. આ મામલામાં 2000થી વધારે લોકો જેલ જઇ ચૂક્યા છે. અને 400થી વધારે હજુ પણ ફરાર છે. ત્યારે 50થી વધારે લોકોના મોત થઇ ચૂક્યા છે.