ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટી-20 શ્રેણીની શરૂઆત 7 જુલાઈથી થઇ રહી છે. મીડિયા રિપોર્ટસ મુજબ રાહુલ દ્રવિડની જગ્યાએ વીવીએસ લક્ષ્મણ જ ભારતીય ટીમના હેડ કોચ હશે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 7 જુલાઈથી ટી-20 શ્રેણીની થશે શરૂઆત
દ્રવિડની જગ્યાએ વીવીએસ લક્ષ્મણ જ ભારતીય ટીમના હેડ કોચ હશે
વીવીએસ લક્ષ્મણ જ પહેલી ટી-20માં ભારતીય ટીમનુ સુકાન સંભાળશે
7 જુલાઈથી ઈંગ્લેન્ડ સામે ટી-20 શ્રેણી શરૂ થશે
એજબેસ્ટનમાં રમાતી પાંચમી ટેસ્ટ બાદ ભારતીય ટીમને 7 જુલાઈથી ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની ટી-20 સીરીઝ રમવાની છે. આ સીરીઝ પહેલા મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. અહેવાલ મુજબ રાહુલ દ્રવિડ પહેલી ટી-20માં ટીમના હેડ કોચ નહીં હોય. રાહુલ દ્રવિડની જગ્યાએ વીવીએસ લક્ષ્મણ જ પહેલી ટી-20માં ભારતીય ટીમનુ સુકાન સંભાળશે. રાહુલ દ્રવિડ 5 જુલાઈ સુધી એજબેસ્ટનમાં ટેસ્ટ શ્રેણી રમશે. બે દિવસ બાદ ટી-20 શ્રેણી શરૂ થઇ રહી છે, જેમાં વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, રિષભ પંત જેવા ખેલાડી નહી હોય.
ભારતીય ટીમનુ સુકાન રોહિત શર્માના હાથમાં રહેશે અને આયરલેન્ડમાં ભારતીય ટીમના હેડ કોચ રહેલા વીવીએસ લક્ષ્મણ જ રાહુલ દ્રવિડની જગ્યાએ જવાબદારી સંભાળશે. ઉલ્લેખનીય છે કે લક્ષ્મણની આગેવાનીમાં ભારતીય ટીમે આયરલેન્ડને 2-0થી હરાવી હતી.