દાંતીવાડા તાલુકાના જેસોર અભયારણ્યમાં અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે વન વિભાગ દ્વારા લુપ્ત થતી પ્રજાતિ ગીધને બચાવવાના પ્રયાસ હાથ ધરાયા છે. વન વિભાગ દ્વારા ગીધને પાણી અને ખોરાક મળી રહે એ હેતુથી વલચર કિચન બનાવાયું છે
ગીધની પ્રજાતિમાં ઘટાડો થતા હાથ ધરાયા પ્રયાસો
ગીધને ખોરા મળી રહે તે માટે વલચર કિચન બનાવાયું
હાઇડ્રોલિક ટ્રોલી બનાવી મૃત પશુઓનું તબીબી પરીક્ષણ
રાજ્ય મા ગીધ ની પ્રજાતિ લુપ્ત થતી જાય છે જોકે બનાસકાંઠા ના જેસોર અભ્યારણ મા 70 જેટલા ગીધ છે અને વન વિભાગ આ ગીધ ને બચાવવા પ્રયાસ કરી રહ્યું છે જેસોર અભ્યારણ મા વન વિભાગે વલચર કિચન બનાવ્યું છે જ્યાં ગીધ ને પાણી અને ખોરાક મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે.
હાઇડ્રોલિક ટ્રોલી બનાવી મૃત પશુઓનું તબીબી પરીક્ષણ
દાંતીવાડા તાલુકાના જેસોર અભ્યારણમા અરવલ્લી ની ગિરિમાળાઓ વચ્ચે વન વિભાગ દ્વારા લુપ્ત થતી પ્રજાતિ ગીધને બચાવવાના પ્રયાસ હાથ ધરાયા છે. વન વિભાગ દ્વારા ગીધ ને પાણી અને ખોરાક મળી રહે એ હેતુથી વલચર કિચન બનાવાયું છે. ખાસ હાઇડ્રોલિક ટ્રોલી બનાવી મૃત પશુઓનું તબીબી પરીક્ષણ બાદ ગીધને ખોરાક આપવાની ખાસ વ્યવસ્થા કરાઈ છે ગીધને નાહવા અને પાણી પીવા માટે પણ અલગ અલગ પાણીના કુંડ બનાવી ખાસ વ્યવસ્થા ઉભી કરાઈ છે.
ગીધની પ્રજાતિમાં ઘટાડો થતા હાથ ધરાયા પ્રયાસો
જોકે અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે જેસોર અભયારણ્યની ગુફાઓમાં ગીધ પોતાના માળા બનાવે છે અને વન વિભાગ દ્વારા ગીધ માટે ખાસ પ્રકારની વ્યવસ્થાના ભાગરૂપે ખોરાક મેળવે છે. રાજ્યમાં ગીધની પ્રજાતિમાં ઘટાડો થતા વન વિભાગ હાલ આ ગીધ બચાવવા માટેના તમામ પ્રયાસો હાથ ધર્યા છે.