રાજ્યના ખેડૂતો માટે VTVની મુહિમની અસર રંગ લાવી છે.ગુજરાત સરકારે પાકધિરાણમાં 4 ટકાની વ્યાજની સહાય છૂટી કરવાનો પરિપત્ર કર્યો છે.
પાકધિરાણ મુદ્દે VTV NEWSની મુહિમની અસર
ખેડૂતોને વ્યાજ ન ભરવું પડે તે માટે સરકારની સહાય
4 ટકા વ્યાજની ચુકવણી માટે સરકારનો નિર્ણય
પાકધિરાણ મુદ્દે VTV NEWSની મુહિમની અસર
રાજ્ય સરકારે ખેડૂતોને વ્યાજ ન ભરવું પડે તે માટે 4 ટકા વ્યાજની સહાય છુટી કરી છે. સરકારના આ નિર્ણયથી ખેડૂતોને મોટી રાહત મળી છે. ઉલ્લેખનીય છે કે, વ્યાજ ચુકવણીના વિલંબથી ખેડૂતોને મુશ્કેલી થઈ રહી હતી જે અંતર્ગત ગત 19મી તારીખે VTV NEWSના મહામંથન કાર્યક્રમ થકી ખેડૂતોનો અવાજ સરકાર સુધી પહોંચાડવામાં આવ્યો હતો. જેને લઈને સરકારે માત્ર ત્રણ જ દિવસમાં એટલે કે, 22મી તારીખે પાકધિરાણમાં 4 ટકાની વ્યાજની સહાય છૂટી કરવાનો પરિપત્ર કર્યો છે.
વ્યાજ ચૂકવણીના વિલંબથી ખેડૂતોને થઇ રહી હતી મુશ્કેલી
મહત્વનું છે કે, VTV NEWSના મહામંથ કાર્યક્રમ થકી આ અંગેનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. જે બાદ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, બે દિવસમાં 4 ટકા પાક ધિરાણ પણ સહાય આવે છે. અને તેનો પરિપત્ર કરી દેવામાં આવશે. કારણ કે ખેડૂતોને પાક ધિરાણ સહાયમાં ભારે મુશ્કેલી પડી રહી હતી. ઉલ્લેખનીય છે કે, આમ તો પાક ધિરાણ સહાય અંગેનો પરિપત્ર માર્ચના અંત સુધીમાં જાહેર થાય તો ખેડૂતોને નવા વર્ષની સહાય મળે ત્યારે હાલ સરકારે જે નિર્ણય કર્યો છે. તેનાથી ખેડૂતોને ફાયદો મળશે
સરકાર દ્વારા વ્યાજ સહાય છુટી કરતા ખેડૂતોને મોટી રાહત
આમ સરકારે આજે કરેલા પાક ધિરાણ સહાયના નિર્ણય થી હવે ખેડૂતો બેન્કો અને સહકારી મંડળીઓમાં પાક સહાય ધિરાણ મેળવી શકશે. જેથી રાજ્યના ખેડૂતોને પડી મુશ્કેલીઓનો અંત આવશે. મહત્વનું છે કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી ખેડૂતોને કૂલ 7 ટકા પાક ધિરાણની સહાય આપતી હોય છે. જેમાંથી 3 ટકા કેન્દ્ર સરકાર અને 4 ટકા રાજ્ય સરકાર આપે છે. આમ ખેડૂતો દર વર્ષે બેન્કો અને સહકારી મંડળીઓમાં પાક ધિરાણ સહાય ખેડૂતો લેતા હોય છે. તેનુ જે વ્યાજ હોય છે. તે સરકાર લેતી હોય છે. આ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે પરિપત્ર કરી દેવામાં આવ્યો હતો. પરંતુ રાજ્ય સરકારે પરિપત્ર જાહેર ન કરતાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા હતાં. જો કે, રાજ્ય સરકાર દ્વારા આજે પાક ધિરાણ સહાયના 4 ટકાનો પરિપત્ર કરતાં ખેડૂતોને મોટી રાહત મળશે