ખેડૂતોની સમસ્યાને લઈને VTVGujarati.com દ્વારા એક પ્રયાસ હાથ ધરાયો છે. આ વખતે ખેડૂતોની સોલાર પેનલ અંગેની સમસ્યાની વાત અમે અહીં રજૂ કરી છે. આશા રાખીએ કે ખેડૂતોની સમસ્યાને રજૂ કરી તેના સમાધાન સુધી પહોંચવામાં અમે મદદરૂપ થઈ શકીશું.
ખેડૂતોની વાચા- Gayatri Joshi
ગુજરાતમાં ખેડૂતોને સોલાર રુફટોપ પેનલ માટે સરકાર સબસિડી આપે છે પણ પાકવીમાની જેમ જ એક કંપનીએ ખેડૂતો પાસેથી પૈસા તો લીધા પણ સોલાર પેનલ નાંખી જ નહીં આવા 900 ખેડૂતોની સમસ્યા હાલ તો ઉર્જામંત્રી સુધી પહોંચી હતી જેનું હાલ મંત્રી સૌરભ પટેલે ટુંક જ સમયમાં યોગ્ય પગલા લેવાનું આશ્વાસન આપ્યું છે.
ગુજરાત સરકારે વીજળી બચાવવા માટે સોલાર રૂફટોપ પેનલ અપનાવવા માટે સબસિડી આપવાની જાહેરાત કરી હતી. જેને પગલે ખેડૂતોઓ પણ આ સહાય માટે અરજી કરી હતી અને તે પેટે રૂા. 10000 ભર્યા હતા ત્યારે સનસાઈન સોલાર રૂફ ટોપ સોલ્યુશન કંપનીએ ઘરે ઘરે ફરીને ડિસેમ્બર 2019, જાન્યુ, 2020માં 900 ગ્રાહકોએ રૂા. 10000ના ચેક ભરીને સોલાર રૂફ ટોપ નોંધાવી હતી. પણ હજુ સુધી આ કંપનીઓએ કોઈ પણ પ્રકારની કાર્યવાહી શરૂ જ કરી નહતી એટલું જ નહીં પણ હવે એ કંપની ફોન પણ ઉપાડતી નથી અને તેની ઓફિસે પણ તાળા લાગ્યા છે તેવો દાવો કરવામાં આવ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસાના બાયડ તાલુકાના ચોઈલા ગામના અમૃતભાઈ એમ પટેલ આ અંગે સરકારમાં રજૂઆત કરી હતી.
આ અંગે આમ તો સૌરાષ્ટ્રથી લઈને સમગ્ર ગુજરાતમાં ફરિયાદો ઉઠી હતી અને વારંવારની રજૂઆતોનું કોઈ નીરાકણ આવ્યું ન હતુ પરંતુ 6 ઓક્ટોબરે અમૃતભાઈ પોતે 900 ગ્રાહકોના લિસ્ટ અને પરેશાની સાથે ઉર્જામંત્રી સૌરભ પટેલને મળ્યા હતા.
શું કહે છે અમૃતભાઈ પટેલ?
આ અંગે આમ તો સૌરાષ્ટ્રથી લઈને સમગ્ર ગુજરાતમાં ફરિયાદો ઉઠી હતી અને વારંવારની રજૂઆતોનું કોઈ નીરાકણ આવ્યું નહતુ પરંતુ 6 ઓક્ટોબરે અમે ખુદ 900 ગ્રાહકોના લિસ્ટ અને પરેશાની સાથે ઉર્જામંત્રી સૌરભ પટેલને મળ્યા હતા. જીલ્લા પ્રમાણે ગૃપ બનાવી ને મંત્રીની મુલાકાત કરી અરજી આપવામાં આવે તો આ સમસ્યાનું કામ સરળ બનશે. હાલ તો ઉર્જામંત્રીએ આશ્વસન આપ્યું છે અને રકમ પરત અપાવવાની તેમજ મજરે આપવાની વાત કરી છે.
શું કહ્યું ઉર્જામંત્રીએ?
જ્યારે અમૃતભાઈએ આ અંગે રજૂઆત કરી ત્યારે સૌરભ પટેલે જણાવ્યું હતુ કે, આ કંપનીની આવી બેદરકારીથી સરકાર સાવ અજાણ હતી. અને હવે યોગ્ય પગલા લઈને ખેડૂતોને ચોક્કસ મદદ કરશે. કંપની સામે યોગ્ય પગલા લઈને 900 ગ્રાહકોને પૈસા પરત અપાવીશું. GEBમાં ભરેલ રકમ પણ તમને મજરે મળશે. નવી અરજી માં જમા મળશે. હવે એક માસ પછી નવી બીજી કંપની માં અરજી કરજો. જો જરુર પડે તો સરકાર કંપની સામે પોલીસ કેસ કરશે. આ સાથે જ સૌરભ પટેલે આશ્વસન આપ્યુ્ં હતુ કે. ટુંક જ સમયમાં આ સમસ્યાનું નિરાકરણ લાવીશું જો જરૂર પડશે તો સરકાર કંપની સામે પોલીસ કેસ પણ કરશે.
અમૃતભાઈ પટેલનું કહેવું છે કે, ઊર્જામંત્રી દ્વારા તેમને ઉપર મુજબ આશ્વસન આપવામાં આવ્યું છે પરંતુ VTVGujarati.com દ્વારા સૌરભ પટેલનો સંપર્ક થઈ શક્યો નથી.