વીટીવીની ટીમ પીએમ મોદીના સંસદીય વિસ્તાર બનારસમાં પહોંચી છે. ત્યારે આજે અમે તમને અહીંના અલૌકિક વાતાવરણનો નજારો બતાવીશું. ગંગા કિનારે બનારસની સવાર અનોખી હોય છે અને સાથો સાથ અહીંની પરંપરા પણ અનોખી હોય છે. દરરોજ સવારે ગંગા મૈયાની આરતી સાથે ભગવાન શંકર અને ગંગા ગાનની અનોખી પરંપરા છે. સવારે પાંચ વાગ્યાથી જ ગંગા કિનારે ભક્તિમય માહોલ જોવા મળે છે. તો વહેલી સવારથી જ ગંગા કિનારે શ્રદ્ધાળુઓની ભારે ભીડ પણ જોવા મળે છે. પણ મહત્વની વાત છે કે અહીં જરાય પણ ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો નથી. બનારસની સવાર ચૂંટણી માહોલથી સાવ દૂર છે. વહેલી સવારથી જ અહીં હર હર ગંગે અને હર હર મહાદેવના નારાથી સમગ્ર બનારસ ગૂંજી ઉઠે છે.