બોલિવૂડના ઘણા એવા સ્ટાર છે જે અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખે છે અને ફિલ્મ હિટ કરાવવા માટે લકી ચાર્મ એમજ ખરાબ નજર જેવી વસ્તુઓમાં માને છે
બોલિવૂડના ઘણા એવા સ્ટાર છે જે અંધશ્રદ્ધામાં માને છે
ફિલ્મ હિટ કરાવવા માટે લકી ચાર્મમાં માને છે
ખરાબ નજર જેવી વસ્તુઓમાં માને છે આ બોલિવૂડ સ્ટાર્સ
આમ તો બોલિવૂડ સ્ટાર ખૂબ ફોરવર્ડ હોવાનો દાવો કરે છે પણ ઘણા એવા સ્ટાર છે જે અંધશ્રદ્ધામાં માને છે. પોતાની ફિલ્મ હિટ કરાવવા માટે લકી ચાર્મ એમજ ખરાબ નજર જેવી વસ્તુઓમાં માનતા આ બોલિવૂડ સ્ટાર્સ વિશે વાત કરી તો..
- સદીના મહાનાયક અમિતાભ બચ્ચન હંમેશા તેમના હાથમાં નીલમ પથ્થરની વીંટી પહેરે છેરિપોર્ટ્સ અનુસાર વર્ષ 2000ની આસપાસ બિગ બીને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ તેણે જ્યોતિષની મદદ લીધી હતી.
- સલમાન હંમેશા તેના કાંડા પર બ્રેસલેટ પહેરેલો જોવા મળે છે. આ બ્રેસલેટ તેને તેના પિતા સલીમ ખાને ભેટમાં આપ્યું હતું
- ગુડ લક ચાર્મમાં માનતી કાજોલ તેની હાથની આંગળીમાં ઓમ આકારની હીરાની વીંટી પહેરે છે જે અજય દેવગણે તેને ભેટમાં આપી હતી.
- દીપિકા પાદુકોણ પોતાની ફિલ્મોની રિલીઝ પહેલા મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરવા જાય છે
- રણવીર સિંહ જે બાળપણમાં ખૂબ બીમાર પડતાં એ સમયે સ્વસ્થ થવા માટે તેના પગ પર કાળો દોરો બાંધ્યો હતો જે તેણે આજ સુધી ક્યારેય ખોલ્યો નથી.રણબીર કપૂર તેની માતાની જન્મતારીખને એટલે કે આઠ નંબરને ગુડલક ચાર્મ માને છે