અમદાવાદઃ હાલ અમદાવાદમાં ઠેર ઠેર દબાણ અને ટ્રફિક હટાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે પ્રહલાદ મોદીએ ગેરકાયદે બાંધકામ કર્યુ હોવાની માહિતી કોર્પોરેશનને મળી હતી. પરંતુ કોર્પોરેશને આ બાબતે પાછી પાની કરી હતી. પરંતુ પ્રહલાદ મોદીએ જાતે જ ગેરકાયદે દબાણ દૂર કર્યું હતું.
મહત્વનું છે કે પ્રહલાદ મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઇ છે. જેમણે ગેરકાયદે બાંધકામ કર્યું હતું. મનપાની નોટિસ બાદ જાતે જ ગેરકાયદે બાંધકામ તોડાવાનું શરૂ કર્યું હતું. સીટીએમ રબારી કોલોની પાસે ચાર માળના બિલ્ડિંગમાં ગેરકાયદે બાંધકામ કરાયું છે.
મનપાની ટીમ દબાણ તોડવા આવે તે પહેલા જાતે જ બાંધકામ તોડાવાયું છે. ત્રીજા અને ચોથા માળે ટેરેસ પરનું બાંધકામ જાતે જ તોડી પાડશે. જો કે પ્રહલાદ મોદીએ કહ્યું કે વડાપ્રધાનનો ભાઇ હોવ તો શું થયું! કાયદો તમામ માટે એક છે.
ઉલ્લેખનીય છે કે પ્રહલાદ મોદીએ ઈન્દ્રપુરી વોર્ડમાં 360 ચોરસ મીટરનું ગેરકાયદે બાંધકામ કર્યુ હતું. જે અંતર્ગત કોર્પોરેશનને જાણ થતા કોર્પોરેશન દ્વારા 17મી જુલાઈ સુધીમાં બાંધકામ દૂર કરવા નોટિસ ફટકારવામાં આવી હતી.