પંચમહાલની આંગણવાડીને લઇને VTV એ રજૂ કરેલા અહેવાલ બાદ તંત્ર સફાળુ જાગી ગયું છે. જેને લઇને આંગણવાડીને લઇને VTV એ આપેલ અહેવાલ બાદ DDO દ્વારા 40 ટીમ બનાવી તાપસ કરવામાં આવી છે.
પંચમહાલમાં VTVના અહેવાલ બાદ જાગ્યુ તંત્ર
આંગણવાડીના અહેવાલ બાદ DDOએ 40 ટીમ બનાવી
તપાસ કરતા પ્રાથમિક રીતે કેટલિક ક્ષતિઓ સામે આવી
DDO દ્વાર બનાવામાં આવેલી ટીમ દ્વારા જિલ્લામાં આંગણવાડી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક શાળામાં તપાસ કરવામાં આવી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં કેટલીક જગ્યાઓ પર ક્ષતિઓ પણ સામે આવી હતી.
ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસમાં કેટલીક શાળાઓમાં કેટલાક શિક્ષકો પણ ગેરહાજર જોવા મળ્યા, જ્યારે કેટલીક જગ્યાપર આંગણવાડી મોડી ખુલતી હોવાનું સામે આવ્યું હતું.
જ્યારે DDO દ્વારા બનાવામાં આવેલી 40 ટીમની તપાસ દરમિયાન સરકારી આરોગ્ય કેન્દ્રમાં ડૉકટર સમયસર ન આવતા હોવાનું સામે આવ્યું છે. જો કે આ ઘટનાની તપાસ કર્યા બાદ આગામી સમયમાં DDO દ્વારો કોઇ મોટો નિર્ણ લેવામાં આવે તેવી શક્યતા છે.