અમદાવાદના જોધપુર અર્બન હેલ્થ સેન્ટર પર VTVનું રિયાલિટી ચેક, AMC સંચાલિત વેક્સિનેશન સેન્ટર પર વેક્સિનનો સ્ટોક ન હોવાનું સામે આવ્યું
અર્બન હેલ્થ સેન્ટર પર VTVનું રિયાલિટી ચેક
વેક્સિનનો સ્ટોક ન હોવાનું સામે આવ્યું
લોકોને સોમવારે આવવાની સૂચના અપાઈ
રાજ્યમાં કોરોના વાયરસના સંભવિત નવા વેરિઅન્ટની સ્થિતિ અંગે આરોગ્ય વિભાગ વિવિધ સજ્જતા દર્શાવી રહ્યું છે તેમજ આરોગ્યતંત્રની સજ્જ્તાની સર્વગ્રાહી સમિક્ષા હાથ પણ હાથ ધરવામાં આવી રહી છે. આ તમામ બાબતોની વચ્ચે VTVએ રિયાલિટી ચેકિંગ હાથ ધર્યું છે. કોરોના વાયરસની દહેશત વચ્ચે વેક્સિનેશની વાતો માત્ર કાગળ પર હોય તેવું જણાઈ રહ્યું છે.
અર્બન હેલ્થ સેન્ટર પર VTVનું રિયાલિટી ચેક
અમદાવાદના જોધપુર અર્બન હેલ્થ સેન્ટર પર VTVનું રિયાલિટી ચેકિંગ હાથ ધર્યું હતું. AMC સંચાલિત વેક્સિનેશન સેન્ટર પર વેક્સિનનો સ્ટોક ન હોવાનું સામે આવ્યું છે. સેન્ટર પર બૂસ્ટર ડોઝ લેવા આવતા લોકોને સોમવારે આવવાની સૂચના અપાઈ રહી છે. વેક્સિનેશન માટે સરકારની અપીલ વચ્ચે સ્થાનિક તંત્ર પાસે વેક્સિનનો જથ્થો જ નથી. રસીકરણ રૂમમાં પણ કોઈ જવાબદાર અધિકારી ન દેખાયા અને સેન્ટરની બહાર સિક્યુરિટી ગાર્ડ જ વેક્સિન ન હોવાની લોકોને સૂચના આપી રહ્યાં છે. જેને લઈ લોકો વહીવટી તંત્રને સવાલ પણ કરી રહ્યાં છે કે, શું આ રીતે આપણે કોરોનાથી લડશું?
રાજ્યમાં ૧૦૦ ટકા વેક્સિનેશન થાય તે માટે સ્પેશિયલ ડ્રાઇવ: આરોગ્ય મંત્રી
ગઈકાલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં સંભવિત કોરોના વેવનો સામનો કરવા આરોગ્ય તંત્ર સજ્જ છે. રાજ્યમાં હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે ત્યારે કોઇએ ડરવાની નહીં પણ કાળજી રાખવાની જરૂર છે. રાજ્યમાં હાલ ૩૩ ટકા નાગરિકોએ જ કોરોના પ્રિકોશનના ડોઝ લીધા છે તે વધારીને ૧૦૦ ટકા વેક્સિનેશન થાય તે માટે મહાનગરો સહિતના વિસ્તારોમાં સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરાશે.
નાગરિકોને અનુરોધ
હાલ રાજયમાં કોરોનાના અંદાજે દૈનિક પાંચ જ કેસ નોંધાય છે. ગુજરાતમાં હાલ દૈનિક ૧૦,૦૦૦ ટેસ્ટીંગ થાય છે જરૂર પડેતો ક્ષમતા વધારાશે. ગઈકાલે આરોગ્ય મંત્રીએ ગુજરાતની જનતાને અપિલ કરતાં કહ્યું હતું કે જેને કોરોના વેક્સિનના બે ડોઝ અને પ્રિકોશન ડોઝ લીધો છે તેને કોરોનાના આ નવા વેરિયન્ટથી ડરવાની જરૂર નથી પણ કાળજી લેવી જરૂરી છે. રાજ્યમાં વખતોવખત કોરોના અંગે જરૂરી તમામ ગાઇડલાઇન જાહેર કરાશે. એટલું જ નહિ, કેન્દ્ર સરકારની વખતો વખતની માર્ગદર્શિકાનું પણ યોગ્ય રીતે અનુસરણ કરાશે. કોરોનાથી બચવા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવા જનતાને આરોગ્ય મંત્રી પટેલે અનુરોધ કર્યો હતો.