રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર આ મહામારી સામે શું પગલા લઇ રહી છે? 14 હજાર કરોડના પેકેજમાં શું છે? કોરોના સામે ગુજરાત કેવી રીતે લડ્યું? મહામારી પછી ગુજરાત કેવી રીતે બેઠું થશે? એક બિમારી, ગુજરાતની કેવી તૈયારી? શાળા કોલેજો વિશે સરકારનો શું છે પ્લાન? ગુજરાત આત્મનિર્ભર કેવી રીતે બનશે? ઉદ્યોગ જગતને કેવી રીતે ઉજાગર કરાશે? રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજકીય હંગામો કેમ છે? આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે VTV ગુજરાતી ન્યૂઝનો જાણીતા કાર્યક્રમ મહામંથનમાં ચર્ચા કરવામાં આવી છે.
રાજ્યમાં આજે 510 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, એક દિવસમાં સૌથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો 19119 થયો છે. આ કોરોનાના કહેરને લઇને રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતા પગલા અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી વિગતે ચર્ચા કરી હતી. તો મુખ્યમંત્રીએ આવનારી રાજ્યસભાની ચૂંટણી અને કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાં અંગે પણ વાત કરી હતી.
કોરોના ત્યારે જ સમાપ્ત થશે જ્યારે તેની વેક્સિન આવશેઃ CM
મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોનાની શરૂઆત પહેલા આપણે તૈયારી શરૂ કરી દીધી હતી. કોરોના કુદરતી આપત્તી છે, કોઇપણ રાજ્યની કે કેન્દ્રની સરકાર આ મહામારીને રોકી શકે તેમ નથી. ભારતના તમામ રાજ્યો સંક્રમિત છે, વિકસિત દેશો સંક્રમિત છે. એટલે કોરોના મહામારી ગુજરાતમાં પણ આવી. આ કોરોનાથી બચવા માટે સરકારે લોકોમાં જાગૃતિ ફેલાવી, સાવધાની, સોશિયલ ડિસ્ટન્સ જાળવી ભીડ ન કરવી આ અંગે કામગીરી કરી. કોરોના ત્યારે જ સમાપ્ત થશે જ્યારે તેની વેક્સિન આવશે.
કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા પર CM રૂપાણીનું નિવેદન
કોંગ્રેસના આક્ષેપોને લઇને મહામંથનમાં વિજય રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, કોંગ્રેસ ખોટા આક્ષેપો કર છે, કોંગ્રેસે ભૂતકાળમાં સરકારો પાડી છે. કોંગ્રેસને કંઇ બોલવાનો અધિકાર નથી, કોંગ્રેસ ડુબતી નાવ છે. કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાનો ચોથો એપિસોડ છે. કોંગ્રેસને તેના જ લોકો છોડી રહ્યાં છે એમાં બીજા શું કરે? CMએ એવો ટોણો માર્યો હતો કે, કરોડમાં ખરીદાયા હોવાની બધી વાર્તા છે. નહીં તો 25 કરોડમાં તો આખી કોંગ્રેસ આવી જાય.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 5, 2020
શું ધારાસભ્યોની ખરીદ-વેચાણ થઇ?
કોંગ્રેસના ધારાસભ્યનોના રાજીનામા બાદ ખરીદ-વેચાણના આક્ષેપો પર મુખ્યમંત્રીએ કહ્યું કે, કોંગ્રેસે ભૂતકાળમાં શું શું કર્યું તે તમે યાદ કરો. ચીમન પટેલ, બાબુભાઇ પટેલ, કેશભાઇ પટેલ અને અટલજીની સરકાર કેવી રીતે તોડી હતી. કોંગ્રેસને બોલવાનો અધિકાર નથી.
CMએ કહ્યું કે, બ્રિજેશ મેરજા ખૂબ સક્રિય અને સારા ધારાસભ્ય હતા. કોંગ્રેસ બ્રિજેશ મેરજા પર પણ નાણા લેવાનો આક્ષેપ લગાવ્યો છે. વધુમાં સીએમએ કહ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યો પૈસા લે એવા નથી પરંતુ પક્ષમાં નેતૃત્વ નથી.
ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત માટે રૂપાણી સરકારના શું છે પ્રયાસ?
કોરોના સંકટ દરમિયાન પણ ભ્રષ્ટાચારના કિસ્સા સામે આવ્યા છે. ત્યારે આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, હું કોઈપણ ભ્રષ્ટાચાર ચલાવવા માંગતો નથી, લોકો સારામાં સારી રીતે ભ્રષ્ટાચાર મુક્ત વ્યવસ્થામાં કામ કરતા થાય તે સરકારના પ્રયાસ છે.
લૉકડાઉનમાં ખેડૂતો માટે શું?
લૉકડાઉનને લઇને ખેડૂતોને પણ મુશ્કેલી પડી છે. ત્યારે આ અંગે સીએમએ જણાવ્યું કે, 31 ઓગસ્ટ સુધી લોન લંબાવી દીધી અને લોનનું વ્યાજ 0 ટકા રહેશે. રાજ્ય સરકારે 400 કરોડ રૂપિયા આના માટે ફાળવ્યા છે. જેમાં 7 ટકા વ્યાજ રાજ્ય સરકાર અને 3 ટકા કેન્દ્ર સરકાર દ્વારા માફ કરવામાં આવે છે.
ભરતીને લઇને ઉમેદવારોમાં રોષ
CMએ કહ્યું કે, 3 વર્ષમાં ખુબ જ ભરતી કરી છે, તમામ ડિપાર્ટમેન્ટમાં ભરતી કરી છે. આ વર્ષ પૂરતું શું કરવું અને શું ન કરવું તે સરકાર નિર્ણય કરશે. સરકારની તિજોરીઓની હાલત ખુબ જ ખરાબ છે. અન્ય રાજ્યમાં તિજોરીઓના પણ પ્રશ્નો ઉભા થયા છે. જોકે ભરતી ચાલુ જ રહેશે.