VTV પર યોજાયેલા મહામંથન e Conclave 2020 પર કેન્દ્રીય કૃષિમંત્રી પરશોતમ રૂપાલાએ ગુજરાતના ખેડૂતો માટે ખાસ વાતચીત કરી હતી. VTV દ્વારા નક્કી કરાયેલાં કૃષિક્ષેત્રો સામે હવે પડકારો શું છે? વિષય પર વાત કરતાં પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે કોરોના સંકટ ભલે આવ્યું મહામારી વચ્ચે પણ મોદી સરકારે નક્કી કરેલું 2022માં ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય અમે પુરૂ કરીશું. સાથે તેમણે જણાવ્યું કે, વેપારીઓને કપાસ વેચતી વખતે ખેડૂતોને વિનંતી કે 7/12ના દાખલાઓ વેપારીઓને ન આપો.
VTVના E-કોન્ક્લેવમાં કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા
CCIમાં કપાસ વેચાવા માટે 7/12 અને 8અ ના દાખલાઓ વેપારીઓને ન આપોઃ રૂપાલા
VTVના E-કોન્ક્લેવમાં કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા મહત્વની વાતચીત કરી હતી. કોરોનાને લઇને કૃષિ સેક્ટરમાં અસરને લઇને તેમણે ચર્ચા કરી હતી. તો 20 લાખ કરોડના મોદી સરકારના પેકેજ અંગે પણ ચર્ચા કરી હતી.
કૃષિમંત્રી પુરૂષોતમ રૂપાલાએ જણાવ્યું કે, ગુજરાતના ખેડૂતોને વિનંતી CCIમાં કપાસ વેચાવા માટે 7/12 અને 8અ ના દાખલાઓ વેપારીઓને ન આપો, જાતે કપાસ વેચવા જાવ. CCI દ્વારા ખરીદવામાં આવતો ખેડૂતોના પાકનો એક રૂપિયો પણ ખેડૂત ખાતેદાર સિવાય કોઇના ખાતમાં નથી જતો. મારી પાસે માહિતી આવી છે કે, વેપારીઓ ખેડૂત ખાતેદારોના દાખલા લઇ તેમના નામે આ કામ કરે છે. મારી વિનંતી છે કે તમે તમારા 7/12ના દાખલાઓનો દુરુપયોગ બંધ કરાવો.
ખેડૂતો દ્વારા વેચવામાં આવતા પાક અંગે સવાલ કરવામાં આવ્યો હતો કે CCIમાં કપાસની નોંધણી કરાવી હોય, આખા ગુજરાતના ખેડૂતોના નામ નોંધાયેલા હોય અને CCI સીધુ તેનું મોનિટરિંગ કરે છે તો શું તેને વધારે સુદ્રઢ, મજબૂત અને વધારે જવાબદાર ન બનાવી શકાય?
આ અંગે પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, લૉકડાઉનના કારણે ખેડૂતોએ ખુબ જ મુશ્કેલીઓ પડી છે અને તે કેન્દ્ર સરકારના ધ્યાનમાં પણ છે. વીટીવીના મહામંથનમાં ઇસુદાન ગઢવી એક વખત કહી રહ્યા હતા કે 'કપાસની ખરીદી વખતે વેપારીઓનો કપાસ લઇ લેવાય છે, ખેડૂતોનો રહી જાય છે.' કપાસની ખરીદી CCIના માધ્યમથી થાય છે. CCIના કામને વધુ સરળ કરવા બાબતે વિચારણામાં જ છે.
જે અંગે રૂપાલાએ કહ્યું કે, મોદી સરકારે જે નક્કી કર્યું હશે તે શેઢા સુધી આવશે તેવો ખેડૂતોને વિશ્વાસ છે. દેશમાં 14 કરોડ જેટલા ખેડૂતો છે જેનો કોઈ સરકાર પાસે સત્તાવાર રેકોર્ડ ન હતો. પરંતુ મોદી સરકાર પાસે 9.5 કરોડ ખેડૂતોના બેન્ક એકાઉન્ટ સહિતની વિગતો છે. છેવાડાના ખેડૂતોના ખાતામાં સીધા પૈસા જમા થાય છે. હવે પોસ્ટ હાર્વેસ્ટિંગ પછીનો જે ભાગ છે, પાક આવી ગયા પછી તેને માર્કેટ સુધી પહોંચાડવામાં જે નુકસાન થાય છે. આપણા જે લિંકેજીજ હોવા જોઈએ તેમાં અગવડતા થાય છે, તે બધાની અંદર આ 1 લાખ કરોડ રૂપિયાના ભારત સરકાર યોજના બનાવી રહી છે.