VTV પર યોજાયેલા મહામંથન e Conclave 2020 પર કેન્દ્રીય કૃષિમંત્રી પરશોતમ રૂપાલાએ ગુજરાતના ખેડૂતો માટે ખાસ વાતચીત કરી હતી. VTV દ્વારા નક્કી કરાયેલાં કૃષિક્ષેત્રો સામે હવે પડકારો શું છે? વિષય પર વાત કરતાં પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે કોરોના સંકટ ભલે આવ્યું મહામારી વચ્ચે પણ મોદી સરકારે નક્કી કરેલું 2022માં ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય અમે પુરૂ કરીશું.
પરશોત્તમ રૂપાલાને સવાલ પૂછવામાં આવ્યો હતો કે આ કોરોના અને લૉકડાઉનના કારણે કૃષિ સેક્ટરને અસર થઇ છે તો સરકાર દ્વારા શું પગલા લેવામાં આવ્યા?
કેન્દ્રીય કૃષિમંત્રી પરશોત્તમ રૂપાલાએ જવાબ આપતા જણાવ્યું કે, લૉકડાઉન શબ્દ બધાથી અપરચિત હતો. પરંતુ પ્રથમ લૉકડાઉનના બીજા જ દિવસે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેવાયો હતો. ઉત્તરપ્રદેશ બિહાર કાપણીનો સમય હતો અને ગુજરાતમાં કાપણીના મશીનો ઉત્તરપ્રદેશ અને ગુજરાતમાં પણ હરિયાણા પંજાબથી આવે છે. ત્યારે લૉકડાઉનના બીજા જ દિવસે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ રિલેક્શેશનના ઓર્ડરો આપવાનું શરૂ કર્યું હતું. તેમાં સૌથી પહેલો ઓર્ડર કૃષિ સંસાધનોને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા દેવા માટે મંજૂરી આપવામાં આવી હતી. રાજ્યમાં કાપણી કરવાનું સમગ્ર કામ પાર પાડવામાં આપણે સફળ રહ્યા છીએ. આ મોટા મશીનોની હેરફેરમાં કોઈ મોટી ફરિયાદો આવી ન હતી.
સવાલઃ ટેક્નોલોજીના મોટા બદલાવ આવી રહ્યા છે, 20 લાખનું પેકેજ જાહેર કર્યું છે છે, ત્યારે APMC ટ્રેડિશનલીઝ્મ હોય તો બદલાવની જરૂર છે, ખેડૂતોને લાભ મળવો જોઇએ. મોટી ટેકનોલોજીનો ફાળો છે. તો ખેડૂતો માટે આ ટેક્નોલોજીથી સરળતા કેવી રીતે ઉભી થશે?
જવાબઃ આ અંગે રૂપાલાએ કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીનું સતત ટેક્નોલોજીને લઇને વિઝન હોય છે. આ પેકેજની અંદર 1 લાખ કરોડ રૂપિયાએ લોજિસ્ટિક સપોર્ટ આપવા માટે એગ્રીકલ્ચર સેક્ટરને ફાળવવા માટેનો નિર્ણય કર્યો છે. ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે તે એરિયા પણ આપણને નક્કી કરી રહ્યા છીએ. ખેડૂતોને ખેતરથી માર્કેટ સુધી નુકસાન થાય, પ્રોસેસિંગમાં જે ટેક્નોલોજી મદદરૂપ થઇ શકે છે, એટલે પોસ્ટ હારવેસ્ટિંગથી લઇ માર્કેટિંગ વચ્ચેનો જે ભાગ છે તેના માટે જ આ 1 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો સરકારનો નિર્ણય છે.
સવાલઃ ખેત પેદાશોના વેચાણ માટે CCI સીધુ મોનિટરિંગ કરે છે પરંતુ તેને વધારે જવાબદાર ન બનાવી શકાય?
જવાબઃ કૃષિમંત્રી પુરૂષોતમ રૂપાલાએ જણાવ્યું કે, ગુજરાતના ખેડૂતોને વિનંતી CCIમાં કપાસ વેચાવા માટે 7/12 અને 8અ ના દાખલાઓ વેપારીઓને ન આપો, જાતે કપાસ વેચવા જાવ. CCI દ્વારા ખરીદવામાં આવતો ખેડૂતોના પાકનો એક રૂપિયો પણ ખેડૂત ખાતેદાર સિવાય કોઇના ખાતમાં નથી જતો. મારી પાસે માહિતી આવી છે કે, વેપારીઓ ખેડૂત ખાતેદારોના દાખલા લઇ તેમના નામે આ કામ કરે છે. મારી વિનંતી છે કે તમે તમારા 7/12ના દાખલાઓનો દુરુપયોગ બંધ કરીએ.