મધ્યમવર્ગ માટે મહામારીએ શું બદલ્યુ ? પરના વિષય પર મોટીવેશનલ સ્પીકર સવજીભાઈ ધોળકિયા, અને ટી પોસ્ટના ફાઉન્ડર દર્શન દસાણી સાથે આ વિશે VTV દ્વારા ખાસ ઈ-કોન્કલેવમાં મહામંથન કરવામાં આવ્યું હતુ જેમાં કેટલી મિસરી જેવી વાતો સરી આવી હતી આવો જાણીએ શું છે એ વાતો.
કોરોના સંકટની સ્થિતીને થાળે પડતા સમય લાગશે: દાસાણી
મધ્યમ વર્ગના લોકો માટે નોકરીઓની મોટી તકો ખુલવાની છે: ધોળકિયા
મધ્યમ વર્ગે નોકરીની કોઇ ચિંતા કરવાની જરૂર નથી: ધોળકિયા
VTVના E-કોન્ક્લેવમાં સવજી ધોળકિયાએ દિલ ખોલીને કરી વાત કોરોના મહામારી એક અવસર સ્વરૂપે છે. કોરોના કોઇ આફત છે જ નહીં. અત્યારે તકલીફ છે પણ અવસર મોટો છે. જો તમારામાં દ્રષ્ટિ હોય તો આગામી સમયમાં મોટા ફાયદાઓ પણ છે. મધ્યમ વર્ગના લોકો માટે નોકરીઓની મોટી તકો ખુલવાની છે . મધ્યમ વર્ગે નોકરીની કોઇ ચિંતા કરવાની જરૂર નથી. ચિંતા માત્ર જે નાના ઉદ્યોગો ઉભા થઇ રહ્યાં હતા એમના માટે જ છે. હું આ સ્થિતીને પોઝિટિવ રીતે જોઉં છું. આપણી જરૂરિયાતો ઘટે તો કોઇ તકલીફ જ નથી. કોરોના સંકટ સમયમાં મે 4 કપડાની જોડીનો જ ઉપયોગ કર્યો. સૌરાષ્ટ્રમાં બધા લોકોએ આ સમયને આનંદથી પસાર કર્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે આપણી જરૂરિયાતો ઓછી હોય તો કોઇ તકલીફ નહીં આવે. જે લોકોએ ટેક્સ ભર્યા છે તેમને સરકાર મદદ કરશે જ. શરૂ થતા નાના ઉદ્યોગોને 5 વર્ષ ટેક્સમાંથી રાહત આપવી જોઇએ. સૌરાષ્ટ્રમાં છોકરાને મા-બાપ એક વર્ષ ખવડાવી શકે એટલી ક્ષમતાવાળા છે. કોરોના આવતા સૌરાષ્ટ્રમાં મોટી સંખ્યામાં લોકો પરત ફર્યા છે. આપણી સાથે કુદરતનો સહકાર છે. આ સંકટના સમયથી શીખવા મળ્યુ કે બચત કરવી જરૂરી છે. પહેલા વડવાઓ કહેતા કે 1 વર્ષના દાણા ઘરમાં હોવા જોઇએ. કોરોના સમયમાં દરેક લોકોને સમયે કંઇક શીખવાળ્યુ છે. સંકટના 2 મહિનામાં કોઇ શીખ ન લીધી હોય તેનો વિકાસ શક્ય નથી.
કોરોના સંકટની સ્થિતીને થાળે પડતા સમય લાગશે
ટીપોસ્ટના ફાઉન્ડર દર્શન દાસાણીએ જણાવ્યું હતુ કે, ટી પોસ્ટની શરૂઆત રાજકોટથી કરેલી છે. અમે ટેસ્ટ સાથે ક્યારેય સમજાવટ નથી કરી. લોનથી નાના વેપારીઓને થોડા અંશે ફાયદો થશે. જે લોન નથી લેતા એ મધ્યમ વર્ગ માટે આ થોડો સંકટનો સમય છે. સ્ટાર્ટ અપ બિઝનેસ સફળ થાય તો સરકારને પણ ટેક્સની આવક છે. સ્ટાર્ટ અપથી લોકો અને સરકાર બંનેને ફાયદા છે. કંપનીઓએ અચાનક કામદારોને છોડી ન દેવા જોઇએ. કંપનીઓએ કામદારોને સાચવવા જોઇએ.