VTVના મહામંથન ઇ-કોન્ક્લેવ 2020માં પદ્મશ્રીથી સન્માનિત ડૉ. તેજસ પટેલએ કોરોના અંગે મહત્વની વાત કરી હતી. તેમણે કોરોના સાથે જીવન કેવી રીતે જીવી શકાય? તે અંગે વાત કરી હતી.
ગુજરાતમાં વધી રહ્યો છે કોરોનાનો કહેર
કોરોના સાથે જીવન કેવી રીતે જીવી શકાય?
પદ્મશ્રી ડોક્ટર તેજસ પટેલે લોકોને અપીલ કરી
કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે પદ્મશ્રી ડોક્ટર તેજસ પટેલે લોકોને અપીલ કરી છે કે તમારી સાથેના કર્મીને કોરોના પોઝિટિવ હોય તો ગભરાવવાની જરૂર નથી. પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે.