મનોરંજન ઉદ્યોગ સામે હવે પડકારો શું છે? વિષય પર મનોજ જોશી અને RJ ધ્વનિત સાથે આ વિશે VTV દ્વારા ખાસ ઈ-કોન્કલેવમાં મહામંથન કરવામાં આવ્યું હતુ જેમાં કેટલી મિસરી જેવી વાતો સરી આવી હતી આવો જાણીએ શું છે એ વાતો.
એક્ટર થોડી PPE કિટ પહેરી શકે?
મનોરંજન જગતને મોટો ફટકો
કોરોના સાથે કેવી રીતે જીવવું એ શીખવું જ રહ્યુ: મનોજ જોશી
જાણીતા અભિનેતા મનોજ જોશીએ VTV સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, શુટીંગ થાય એના બે મહિને ટેલિકાસ્ટ થાય એના 90 દિવસ પછી કામના પૈસાના મળે. પાંચમાં મહિને કલાકારોને પૈસા મળે છે. સામાન્ય કર્મચારી 8 કલાક કામ કરે પણ કલાકારને કોઈ સમય નક્કી નથી હોતા. કેટલાક કલાકારોના પેમેન્ટ બાકી છે. એક સરકારે ગાઈડલાઈનના પાલન સાથે શુંટીગ કરવાની છુટ આપે છે. આજે નહીં તો કાલે થિયેટર્સ સહિતના તમામ માધ્યમો અને ઉદ્યોગો ખુલશે જ ત્યારે આપણે કોરોના સાથે કેવી રીતે જીવવું તે શીખવું જ પડશે.
એક્ટર થોડી PPE કિટ પહેરી શકે?
VTVના E-કોન્ક્લેવમાં RJ ધ્વનિતની ખુલ્લામને વાત કરી હતી. કોરોના સંકટના સમયમાં સોશિયલ મીડિયામાં કાર્યક્રમો થયા છે. સંગીત જગતના લોકો સોશિયલ મીડિયામાં લાઇવ થતા હતા. લોકોએ ઘરે બેઠા પણ સંગીત જગતના લોકોને માણ્યા છે. મેકઅપ મેન, ગીતારવાદક જેવા લોકોને થોડો ફટકો પડ્યો. મનોરંજન જગતના લોકોએ ઓનલાઇન મનોરંજન પુરુ પાડ્યું છે. હવે માર્કેટિંગ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ જરૂરી છે. લોકોએ લોકડાઉનમાં કન્ટેઇનને અપડેટ કર્યુ છે. મોટા પડદાની મજા સોશિયલ મીડિયામાં ન આવે. સિનેમેટિક્સની મજા તો સિનેમામાં જ આવે છે. લોકોએ સ્વચ્છતા બાબતે વધુ જાગૃત થવુ પડશે.