ઉદ્યોગોની ગાડી પાટે કેવી રીતે ચડશે? આ વિષય પર ગુજરાત CIIના વાઈસ ચેરમેન વિનોદ અગ્રવાલ સાથે આ વિશે VTV દ્વારા ખાસ ઈ-કોન્કલેવમાં મહામંથન કરવામાં આવ્યું હતુ જેમાં કેટલી મિસરી જેવી વાતો સરી આવી હતી આવો જાણીએ શું છે એ વાતો.
શ્રમીકોના પલાયન બાદ હવે ઉદ્યોગોમાં મજૂરી કોણ કરશે?
ચીન સાથેની હરિફાઈ ઘણી દૂર
ઉત્પાદન વધારવુ પડશે
ઉદ્યોગોની ગાડી પાટે કેવી રીતે ચડશે? મહામારી પછી ઉદ્યોગોને કેવો ફટકો પડ્યો? પડકારો સામે કેવી રીતે લડીશું? ઉદ્યોગોને વેગવંતો કરવા સરકાર શું કરશે? ઉદ્યોગના સંઘોની ભૂમિકા કેવી રહેશે? શું ઈન્ડસ્ટ્રીમાં જુસ્સો ફરી આવી રહ્યો છે?અનલોક-1ની કેવી પડશે અસર આ તમામ વિષયો ઉપર VTVના મહામંથન E- Convlaveમાં ગુજરાત CIIના વાઈસ ચેરમેન વિનોદ અગ્રવાલ સાથે ચર્ચા કરીને કન્ક્લ્યુઝન કાઢવાની કોશિશ કરી હતી.
ઉદ્યોગોની સાચી પરિસ્થિતિ શું છે?
CIIના વાઈસ ચેરમેન વિનોદ અગ્રવાલે જણાવ્યું હતુ કે, પહેલાના જમાનામાં સરકાર જાહેરત કરે તેના નોટીફિકેશન આવતા બે વર્ષ લાગતા હતા. પરંતુ હવે કામ ઝડપી બન્યુ છે. MSMEના 3 લાખ કરોડનું જે પેકેજ છે તે વહેલા તે પહેલાના ધોરણે છે. એટલે જેટલું મોડુ થશે એટલુ લાભ મળવાનો ચાન્સ ઘટી જશે. ઉદ્યોગો પાછળનો સરકારનો ખર્ચ ઈન્વેસ્ટમેન્ટ છે. ઉદ્યોગોના પૈસા કમાઈને ટેક્સ દ્વારા પાછા આવશે. એટલે એ ખર્ચ નથી પણ એ સરકારનું ઈન્વસે્ટમેન્ટ છે.
શ્રમીકોના પલાયન બાદ હવે ઉદ્યોગોમાં મજૂરી કોણ કરશે?
તેમણે જણાવ્યું હતુ કે, ગુજતમાંથી 10થી 12 લાખ લોકોએ સ્થળાંતર કર્યુ છે. શ્રમિકો 2 મહિનાથી હતાશ હતા. તેમનો પરિવાર તેમની સાથે નહોતો. ગુજરાતમાં જે રીતે કેસ વધી રહ્યા છે તેવા સમાચારોને કારણે તેમને ઘરે જઉં હોય. એટલે તેમને ઘરે પહોંચાડવા જરૂરી હતા. મનરેગામાં 200થી 250 મળે છે જ્યારે ગુજરાતમાં મજૂરી 500 જેટલી છે જે ઓલમોસ્ટ ડબલ છે. એટલે હવે શ્રમિકોને પાછા લાવા જોઈએ. ઉદ્યોગો હાલ 50 ચાલુ થયા છે તે 100 ટકા ધમધમશે.
મેક ઈન ઈન્ડિયા
ભારતનું પ્રોડક્શન અને ચીનનું પ્રોડક્સનમાં બહુ જ ફરક છે. આપણે 100 વસ્તુનું ઉત્પાદન કરીએ તો ચીન 1000થી પણ વધુ વસ્તુનું ઉત્પાદન આપણાથી સાવ ઓછા સમયમાં કરી શકે છે. ેટલે આપણે પ્રોડક્શન વધારવું પડે અને આત્મનિર્ભર થવુ સરળ નથી.