ક્લાસરૂમમાં કેવા બદલાવ આવશે? આ વિષય પર GPSCના ચેરમેન દિનેશ દાસા અને શિક્ષણવિદ ડો. આર ખેરાની સાથે આ વિશે VTV દ્વારા ખાસ ઈ-કોન્કલેવમાં મહામંથન કરવામાં આવ્યું હતુ જેમાં કેટલી મિસરી જેવી વાતો સરી આવી હતી આવો જાણીએ શું છે એ વાતો.
ઓપન અને ડિસ્ટન્સ લર્નિંગનો કન્સેપ્ટ હવે અપનાવવો પડશે
ભારત સરકારે ઈ-વિદ્યા પેકેજની જાહેરાત કરી
400 ઓનલાઈન કોર્ષ, 3800 ઈન્સ્ટીટ્યુટ ઓનલાન ભણતર ભણાવી રહ્યા છે.
ઈ-વિદ્યા પેકેજ વિશે GPSC ચેરમેન દિનેશ દાસાએ જણાવ્યું હતુ કે, ઓનલાઈન કોર્ષ વિદેશની યુનિવર્સિટીઓ પહેલેથી જ ઓફર કરતી હતી. પરંતુ હવે ઓપન અને ડિસ્ટન્સ લર્નિગનો કન્સેપ્ટ વધશે. કોમ્પેટેટીવ એક્ઝામ માટે કોઈ બાધ નથી. મિકેનીકનો એન્જિનિયરનો વિદ્યાર્થી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હોય તેણે ઈકોનોમિકસ, પોલિટિક્સથી લઈને તમામ વિષયોનું જ્ઞાન મેળવવું પડશે જે તમામ વિષય હવે તેભણી શકશે. પીએમ મોદી દ્વારા પેકેજમાં ઈ-વિદ્યા પ્રોજેક્ટની ઘોષણા કરી છે. ભારત સરકારનું સ્વયમ ઈ લર્નિંગ પોર્ટલ છે. જેમાં 400 ઈલેક્ટીવ કોર્ષ કોર્ષ છે. 3800 જેટલા ઈન્સ્ટીટ્યુટ ભાગ લઈ રહ્યા છે.
શું કહે છે શિક્ષણવિદ?
શિક્ષણવિદ્ ડો. આર ખેરાનીએ જણાવ્યું હતુ કે, પ્રાથમિક અને હાયર સેકન્ડરી સ્કુલના બાળકો માટે મુશ્કેલી છે. કારણ કે, લેપટોપ, આઈપેડ, કોમ્પ્યુટર મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના બાળકો પાસે હશે? હેકિંગના ખતરા, ઝુમમાં પ્રોબ્લેમ પણ થયા છે. IT એક એવુ ફિલ્ડ છે જે આવનારા સમયમાં તમામ ક્ષેત્રોનો ટેકઓવર કરી લેશે. એટલે ITને ફરજિયાત વિષય તરીકે ભણાવવો જોઈએ. ધોરણ 7થી જ સાયબર સિક્યોર કોર્ષ ભણાવવો જોઈએ.