શું શહેરોમાં મકાન સસ્તા થવાના છે ? રિયલ એસ્ટેટ પરના વિષય પર CREDAI પ્રમુખ આશિષ પટેલ સાથે આ વિશે VTV દ્વારા ખાસ ઈ-કોન્કલેવમાં મહામંથન કરવામાં આવ્યું હતુ જેમાં કેટલી મિસરી જેવી વાતો સરી આવી હતી આવો જાણીએ શું છે એ વાતો.
બાંધકામ ઉદ્યોગ 98 ટકા આત્મનિર્ભર છે. સ્ટીલ, સિમેન્ટ બધી ભારતમાં બનતી હોય છે. બાંધકામ ઉદ્યોગમાં શરૂઆતથી અંત વચ્ચેનો સમય મહત્વપૂર્ણ છે. બાંધકામમાં બહારથી કોઇ વસ્તુ આવતી નથી.
કોવિડ19 પછી શ્રમિકોની રોજગારીને લઇને મુશ્કેલી પડી શકે છે. લોકડાઉન દરમિયાન કોઇ પ્રવૃતિ થઇ નથી. હાલમાં જે પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે તેમાં 6 મહિનાનો વિલંબ થશે. પ્રવાસી શ્રમિકો પરત ફરશે ત્યારબાદ જ કામ ચાલુ થશે. શ્રમિકોને પ્રોત્સાહિત કરવા પડશે.
સરકારે રિયલ એસ્ટેટને લઇને જાહેર કરેલી ગાઇડલાઇન મુજબ હાલ કામ કરવામાં આવી રહ્યું છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે.
આશિષ પટેલે કહ્યું કે સરકારે સ્ટેમ્પ ડ્યૂટીમાં રાહત આપવી જોઇએ. નવા પ્રોજેક્ટ માટે હાલમાં જે 9 મહિના જેટલો લાગી રહ્યો છે તે 2 મહિનામાં થાય તેવું કરવું જોઇએ. સરકારે ઉદ્દીપકની ભુમિકા ભજવવી પડશે. સરકારે ટેકસમાં રાહત આપવી જોઇએ. ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં મકાનોની કિંમતોમાં કોઇ ફેરફાર જોવા મળ્યો નથી.
શ્રી બાલાજી ગ્રુપના CMD આશિષ શાહે કહ્યું કે કોરોનાથી લોકોનો ખર્ચ ઘટયો છે. ગુજરાતમાં મકાનો સસ્તા જ છે. મુંબઇ, બેંગ્લોર કરતા ગુજરાતમાં મકાન સસ્તા છે. ગ્રાહકને કોઇ તકલીફ પડવાની નથી. ગ્રાહકોને સરકાર રાહત આપી રહી છે. સરકારના નિયમોથી ગ્રાહક સુરક્ષિત થયો છે.