અમદાવાદના ગણેશ જેનેસિસમાં લાગેલી આગનું કારણ સામે આવ્યું છે. VTV દ્વારા આગના કારણની તુપાસ કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું છે કે, મકાનના સ્વીચ બોર્ડમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. આ આગને ઓલવવા માટે મહિલાએ સ્વીચ બોર્ડ પર પાણીનો છંટકાવ કર્યો હતો. પાણીનો છંટકાવ કરતા સ્વીચ બોર્ડમાં ભડાકો થયો હતો અને વધુ આગ પ્રસરતા તેના પર ધાબળો નાખી કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે આગ વધારે ઉગ્ર બની હતી અને ધાબળો પણ સળગવા લાગ્યો હતો. અને ઘરમાં ફર્નિચરમાં આગ લાગતા આગ વિકરાળ બની હતી. ફર્નિચરમાં લાગેલી આગને કારણે ઘરનો તમામ સામાન બળીને ખાખ થયો હતો અને સમગ્ર અપાર્ટમેન્ટમાં આગ ફેલાઈ હતી. છઠ્ઠા માળે આગ લાગેલી આ આગમાં સાતમાં માળે રહેતી મહિલાનું મોત થયું હતું. આપને જાણીને આશ્વર્ય થશે કે, બિલ્ડીંગમાં જેણે ફાયર સેફ્ટીનું કામ કર્યું હતું અને જેઓ ફાયરસેફ્ટીના જાણકાર હતા તેમના ઘરમાં જ આગ લાગી હતી.