અમદાવાદઃ આગામી વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટીઓ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે કોંગ્રેસ દ્વારા આસમાના પૂર્વ મુખ્યમંત્રી તરૂણ ગોગાઈ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આ દરમિયાન તરૂણ ગોગાઈ ગાંધી આશ્રમની મુલાકાત કરશે. અને
માધવસિંહ સોલંકી સાથે પણ મુલાકાત કરશે. આ દરમિયાન તેમણે વીટીવી સાથે ખાસ વાત કરી હતી.
તેમણે મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યુ કે મોદી સરકાર ગુજરાતના મોડેલની વાત કરે છે પરંતુ ગુજરાતમાં વિકાસ શૂન્ય છે. ત્યારબાદ તેમણે GST અને નોટબંધી વિશે કહ્યુ કે GST અને નોટબંધી લોકો પરેશાન થયા છે.
ભાજપ સરકાર લોકોને ઈમોશનલ બ્લેકમેઈલ કરી રહી છે. ભાજપ સત્તા મેળવવા માટે કોઈ પણ રીતે પ્રજા સાથે ઈમોશનલ વ્યવહાર કર છે.