એક શિક્ષક જેના હાથમાં દેશનું ભાવિ ઘડાય છે પરંતુ જો શિક્ષક જ પછાત માનસિકતાનું પ્રદર્શન કરે તો આવા શિક્ષક પાસે શું અપેક્ષા રાખી શકાય. ઉપલેટાની રાજમોતી શાળાના ત્રણ શિક્ષકોએ આવી જ પછાત માનસિકતાને પ્રદર્શિત કરી છે. ત્રણેય શિક્ષકોએ દલિત વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરતા આ ઘટનાનો અહેવાલ વીટીવીમાં પ્રસ્તુત થયો હતો. આ અહેવાલનો સારો પડઘો પડ્યો છે.
રાજકોટના ઉપલેટાની પ્રાથમિક શાળાના વીડિયોના મામલો
VTVના અહેવાલનો પડઘો
શિક્ષકોની કરાઇ બદલી
ઉલ્લેખનીય છે કે, VTVના અહેવાલ પ્રસારિત થયા બાદ શિક્ષક સામે શિક્ષાત્મક પગલા લેતા ત્રણેયની શિક્ષકોની બદલી કરી દેવાઇ છે. પલેટાના આ મામલે જિગ્નેશ સોજીત્રાસ રસિલા અને લક્ષ્મી નામના શિક્ષકોની બદલી કરાઇ છે. સમગ્ર મામલાના તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ત્રણેય શિક્ષકોને અલગ અલગ શાળામાં બદલી કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
શું બની હતી ઘટના ?
દેશ આઝાદ થયાને સાત દાયકાથી પણ વધુ સમય વિતી ગયો પણ હજી દેશમાં નાત ભાતના ભેદભાવની ઘટના સમવાનું નામ નથી લઇ રહી. ત્યારે આવી જ કંઇક ઘટના રાજકોટના ઉપલેટામાં સામે આવી છે. ઉપલેટાની શાળામાં દલિત વિદ્યાર્થી પ્રત્યે જાતિગત ભેદભાવની ઘટના સામે આવી છે. શાળાના શિક્ષક દ્વારા દલિત વિદ્યાર્થીઓ સાથે જાતીય ભેદભાવ રાખવાનો આરોપ લાગ્યો છે.
વીડિયો થયો હતો વાયરલ
શિક્ષક દ્વારા જાત-પાતને લઇ માસુમ બાળકીઓનુ અપમાન કરવામાં આવ્યું છે. વીડિયોમાં બાળકીઓ શિક્ષક દ્વારા કરાયેલા અપમાનની કબૂલાત કરી રહી છે. આ પ્રકારની વારંવારની ઘટના બાદ અનેક સવાલ ઉભા થયા છે કે જો શિક્ષકોને ક્લાસમાં ભણાવવાનું કામ છે, તો જાતિવાદ કેમ ?શિક્ષકો માટે વિદ્યાર્થીઓ સમાન હોવા જોઈએ કે નહી? દલિત વિદ્યાર્થિનીઓ સાથે ઉચ-નીચનો ભેદભાવ કરનાર આ શિક્ષકોને DEO સસ્પેન્ડ કરશે કે નહીં તેવા અનેક સવાલ થઇ રહ્યાં છે.