દાહોદમાં મનરેગા કૌભાંડમાં VTVના અહેવાલની અસર થી છે અને મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપની તપાસ શરૂ થી છે. DRDA નિયામક સી.બી બલાતે તપાસના આદેશ આપ્યા છે. TDOને આ સમગ્ર મામલાની તપાસ સોંપવામાં આવી છે.
દાહોદમાં મનરેગા કૌભાંડમાં VTVના અહેવાલની અસર
મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપની તપાસ શરૂ
DRDA નિયામક સી.બી બલાતે આપ્યા આદેશ
શું છે મામલો
16.43 કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ છે. અરજદાર ભારત વાખલા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. રૂપાણી સરકારના મંત્રી બચુ ખાબડના પુત્ર પર ભ્રષ્ટાચારનો આક્ષેપ થઈ રહ્યો છે. એટલું જ નહીં પંતુ આ કૌભાંડમાં તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ પટેલ પણ સામેલ હોવાના આક્ષેપ છે. મંત્રીના પુત્ર-તાલુકા ભાજપ પ્રમુખની એજન્સી સામે આક્ષેપથી ખળભળાટ મચી ગયો હતો. બંન્નેની એજન્સીઓમાં મનરેગાના પૈસા નખાયાનો આક્ષેપ છે.
330 ચેકડેમ ઓન પેપર બતાવાયા પણ બનાવાયા નહીં
ધાનપુર તાલુકામાં ચેકડેમમાં કૌભાંડ આચરાયું હતુ જેમાં 330 ચેકડેમ ઓન પેપર બતાવાયા પણ બનાવાયા જ નહીં. જ્યારે દેવગઢ બારીયા તાલુકા પંચાયતમાં 124 ચેકડેમમાં કૌભાંડનો આક્ષેપ છે. દેવગઢ બારિયાના 25 ગામોમાં ચેકડેમ કૌભાંડનો આક્ષેપ થઈ રહ્યો છે. ધાનપુર તાલુકા પંચાયત 206 ચેકડેમના કૌભાંડનો આક્ષેપ થી રહ્યો છે. ધાનપુરમાં 19 ગામોમાં ચેકડેમ કૌભાંડનો આક્ષેપ છે.
સળગતા સવાલ
મંત્રી બચુ ખાબડના પુત્ર ચેકડેમ કૌભાંડમાં સામેલ છે?
330 ચેકડેમ માત્ર કાગળ પર જ કેમ રહી ગયા?
ચેકડેમના રૂપિયા ચાઉ કરનારાઓ સામે માત્ર તપાસ જ થશે?
શું TDO મંત્રીના પુત્ર સામે નિષ્પક્ષ તપાસ કરી શકશે?
કૌભાંડના તાર મંત્રીના ઘર સુધી હોય તો SIT તપાસ કેમ નહી?
શું સરકાર બચુ ખાબડના પુત્રને બચાવવા માટે પ્રયાસ કરી રહી છે?