રાજકોટ જિલ્લાની ઘણી શાળાઓએ વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં પ્રમોશન આપવા ઇનકાર કરી દીધો હોવાની અનેક વાલીઓની ફરિયાદ ઊઠી હતી VTVએ અહેવાલ પ્રસારિત કર્યા બાદ DEOને તપાસના આદેશ
શાળાઓમાં ફી ઉઘરાવવાનો મામલો
જૂના અને નવા સત્રની ફી મામલે વિવાદ
VTVના અહેવાલ બાદ DEOને તપાસના આદેશ
રાજકોટમાં ફીના કારણે પ્રવેશ રોકનાર શાળાઓ સામે તપાસના આદેશ જૂની ફી બાકી હોવાને કારણે રાજકોટ જિલ્લાની ઘણી શાળાઓએ વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં પ્રમોશન આપવા ઇનકાર કરી દીધો હોવાની અનેક વાલીઓની ફરિયાદ ઊઠી હતી.
શાળાઓમાં ફી ઉઘરાવવાનો મામલો
VTV એ આ અંગે અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ જિલ્લા કલેક્ટરે DEOને સ્કૂલમાં તપાસ કરવાના અને વાલીઓના પ્રશ્નો દૂર કરવાના આદેશ આપ્યા છે. કલેક્ટરના આદેશને મુજબ હવે જિલ્લા શિક્ષણા અધિકારીએ તપાસ ટીમની રચના કરી છે અને ગુરુવારથી જે જે શાળાઓ સામે વાલીઓની ફરિયાદ છે તે શાળાઓમાં આ ટીમ જાતે જ જઈને રૂબરુંમાં તપાસ કરશે, શાળા સંચાલકો સાથે વાત કરશે ઉપરાંત વાલીઓના પ્રશ્નો પણ સાંભળીને સમસ્યાનું સમાધાન કરશે.
VTVના અહેવાલ બાદ DEOને તપાસના આદેશ
મહત્વનું છે કે VTVએ મોદી સ્કૂલનો એક અહેવાલ પ્રસારિત કર્યો હતો. ફી ન ભરાતા મોદી સ્કૂલે એક વિદ્યાર્થિનીને LC પકડાવી દીતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. જે બાદ VTV એ અહેવાલ પ્રસારિત કરતા જિલ્લા કલેક્ટર મામલાની તપાસના આદેશ આપ્યા હતા. અને અંતે તપાસ માટે DEOને નિર્દેશ કરાયો હતો.જે બાદ DEO એ તપાસ માટે ટીમ બનાવી છે. આ ટીમ હવે જે વાહીઓએ ફરિયાદ કરી છે તેઓની પણ પૂછપરછ કરી શાળા અને સંચાલક મંડળો સાથે વાતચીત કરશે.
જૂના અને નવા સત્રની ફી મામલે વિવાદ
મહત્વનું છે કે શાળાઓમાં સોમવારથી જ નવું સત્ર શરૂ થઇ ગયું છે પરંતુ સત્ર શરૂ થવાની સાથે સાથે વિદ્યાર્થીઓની જૂના સત્રની ફી, નવા સત્રની એડવાન્સ ફી, પ્રવેશ ફી, માર્કશીટ- લિવિંગ સર્ટિફિકેટ નહીં આપવા સહિતના જુદા જુદા વિવાદો થઇ રહ્યા છે. કોરોના કાળમાં કર્ફ્યૂ, લોકડાઉન જેવી સ્થિતિને કારણે સૌ કોઈને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યા છે દેશ અને રાજ્યમાં મંદિ જેવો માહોલ સર્જાયેલો જોવા મળી રહ્યો છે.
ફી મામલે શાળાઓ આવી વિવાદમાં
મહત્વનું છે કે રાજ્યમાં આવેલી કેટલીક શાળાઓએ જે વિદ્યાર્થીને જૂના સત્રની ફી બાકી છે તેવા વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં પ્રમોશન નહીં આપવા વાલીઓને લેખિત અને મૌખિક જણાવી રહી છે જ્યારે કેટલીક શાળઆઓ નિયમ વિરુદ્ધ એકસાથે છ-છ માસની એડવાન્સ ફી લઈ રહી છે, તેમજ શાળાઓ એડમિશન રદ કરાવનાર વિદ્યાર્થીઓને માર્કશીટ અને લિવિંગ સર્ટિ. નથી આપી રહી. જેને પગલે વાલીઓની અનેક ફરિયાદોને પગલે જિલ્લા કલેક્ટરે શિક્ષણ અધિકારીને હાલ તો તપાસ કરવા કહ્યું છે.