ગોધરાકાંડના પરિવારની વેદનાના VTVના અહેવાલની અસર થઈ છે. 18 વર્ષ બાદ પરિવારને દીકરાનું મરણ સર્ટિફિકેટ મળ્યું. 3 વર્ષના ઋષભના અસ્તિત્વનું સર્ટિફિકેટ મળ્યું. ગોધરામાં સાબરમતી એક્સપ્રેસનાં S-6 ડબ્બામાં જીવતો સળગી ગયેલો હતો ઋષભ. 6 મહિના બાદ માતા-પિતાના DNA ટેસ્ટથી મોતની જાણ થઈ હતી.
6 મહિના બાદ માતા-પિતાના DNA ટેસ્ટથી મોતની જાણ થઈ
પરિવારને સરકારી સહાય કે મરણ સર્ટિફિકેટ પણ નથી અપાયુ
VTVના અહેવાલથી સરકાર જાગી અને પરિવારને સર્ટિફિકેટ મળ્યું
VTVના અહેવાલથી સરકાર જાગી
પરિવારને સરકારી સહાય કે મરણ સર્ટિફિકેટ પણ નથી અપાયુ. VTVના અહેવાલથી સરકાર જાગી અને પરિવારને સર્ટિફિકેટ મળ્યું.
પિતા પણ 80 દાઝી ગયા હતા
અહીં આપને એ પણ જણાવી દઈએ કે, આ ગોધરાકાંડમાં ખુદ લલનપ્રસાદ કે જેમણે પોતાનો પૌત્ર ગુમાવ્યો છે. તે ખુદ 80 ટકા દાઝી ચૂક્યા હતા. ખુદ 15 દિવસે ભાનમાં આવ્યા હતા. તે ક્યાંથી મૃત પૌત્રનું સર્ટિફિકેટ લાવે. તેવામાં આ સરકારનું તંત્ર પુરાવા માંગતી હતી.
શું હતી ઘટના?
મહત્વનું છે કે, આ ઘટનાને આજે 18 વર્ષ વીતિ ચૂ્ક્યા છે. છતાં આજ સુધી સહાયના નામે એકપણ રૂપિયો નથી મળ્યો. 18 વર્ષે સરકાર તરફથી આ પરિવારને વળતર માટે નોટિસ અપાઈ છે. એટલું જ નહીં આ પરિવાર પાસે પુરાવા પણ માંગવામાં આવ્યા છે. પરિવાર પાસે મૃતક રિષભનું ડેથ સર્ટિફિકેટ માગવામાં આવી રહ્યું છે. જે ત્રણ વર્ષનો રિષભ જીવતા જ ડબ્બામાં સળગી ગયો હતો. જેનો મૃતદેહ પણ હાથમાં લાગ્યો ન હતો. તેનું ડેથ સર્ટિફિકેટ પરિવાર ક્યાંથી લાવે? આ પરિવાર પાસે તો માત્ર બાળકનાં સેમ્પલનો માતા-પિતા સાથે મેચ થયેલો DNA રિપોર્ટ જ છે. છતાં તંત્ર ડેથ સર્ટિફિકેટ કાઢી આપતું નથી. સરકાર માત્ર સહાનુભૂતી બતાવે છે અને કાંઈ કરે છે તો તે માત્ર ને માત્ર વળતરના નામે જખમ તાજા કરવાનું કામ.
VTV એ ઉઠાવ્યા હતા પ્રશ્નો
શું આ તંત્રને શરમ નથી આવતી ?
જે પરિવારની મદદ કરવી જોઈએ તેમની પાસે પુરાવા માગે છે.
કેમ ગોધરા નગરપાલિકા આ પરિવારને ડેથ સર્ટિફિકેટ નથી આપતી ?
એવું લાગી રહ્યું છે.
સત્તાધિશો આ દુઃખી પરિવાર સાથે મજાક કરી રહ્યા છે.
તેમના ઘા પર મલમ લગાવવાની જગ્યાએ ઘા ફરી તાજા કરી રહ્યું છે.