મોદી સરકારે બનાવેલા નવા નાગરિક્તા સંશોધન એક્ટના સમર્થનમાં ઉમટેલી ભીડ છે. કેમ લોકોએ નાગરિક્તા સંશોધન એક્ટના સમર્થનમાં ઉતરવું પડ્યું. કેમ એક અવાજ પર લાખો જનમેદની CAAના સમર્થનમાં ઉતરી ગઈ ? તો કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓ CAAનો વિરોધ કરે છે અને મોદી સરકાર આ કાયદો પરત લે તેવી માગણી કરે છે.
પરંતુ આ કાયદો જેના માટે બનાવવામાં આવ્યો છે. જેને આનાથી ફાયદો થવાનો છે અને આ કાયદો બનાવવાની જરૂર કેમ પડી ? પાકિસ્તાનમાં વસતા લઘુમતિઓનું દર્દ શું છે ? તેમની વેદના શું છે ? કેમ તેમણે પોતાનો દેશ છોડી ભારતમાં આશરો લેવો પડી રહ્યો છે ? જાણીશું આ ગ્રાઉન્ડ રિયાલીટી ચેકમાં...
VTV ટીમ અમદાવાદના વાડજ વિસ્તારમાં પહોંચીએ વાડજ વિસ્તાર કે જ્યાં કેટલાક હિન્દુ શરણાર્થીઓ રહે છે. જે પાકિસ્તાનથી લાખો વેદના વેઠી અહીં પહોંચ્યા છે. નાપાક પાકિસ્તાનમાંથી જેમતેમ કરી જીવ બચાવી ભારત આવી ગયેલા શરણાર્થી પરિવારમાં એક આનંદ હતો. ભારતમાં શાંતિની જિંદગી જીવવાની ખુશી સમાતી ન હતી.
આસું ભૂતકાળમાં ભોગવેલી વેદાનાના પણ હતા
પરિવારની આંખમાં આંસું હતા. આ આસું ભૂતકાળમાં ભોગવેલી વેદાનાના પણ હતા અને આસું હરખના પણ હતા. કારણ કે હવે તેઓ સુરક્ષિત રીતે મા ભારતીના ખોળામાં આવી ગયા હતા. આ પરિવારનું દર્દ એટલું ભયાનક હતું કે અમે પણ અમારા આંસુ રોકી શક્યા ન હતા.
શરણાર્થીઓની દુઃખભરી દાસ્તાન
વાડજમાં પાકિસ્તાની શરણાર્થીની દુઃખભરી દાસ્તાન સાંભળી અમે અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં આવી પહોંચ્યા હતા. અહીં અમને મોહનભાઈનો પરિવાર મળી ગયો.
તમે વિચારો કે કમરતોડતી આ મોંઘવારીમાં કોઈ એક રૂપિયો પણ છોડતું નથી. ત્યાં આ પરિવાર પોતાની એક કરોડથી પણ વધારેની પ્રોપર્ટી છોડીને કેમ આવ્યું હશે ?...કંઈ તો કારણ હશે ને ? મોહનભાઈના પરિવાર સાથે મુલાકાત કરી અમે આગળ વધ્યા અને ઈશ્વરભાઈના ઘરે પહોંચ્યા.
કેમેરા સામે છલકાયો શરણાર્થીઓનો પ્રેમ
ઈશ્વરભાઈનો નાનો એવો પરિવાર છે. ફુલકોમળ જેવી નાની-નાની બે બાળકી છે. પાકિસ્તાનમાં નરાધમો ફુલ જેવી બાળકીઓને પણ છોડતા ન હતા. અને આ વેદનાને કારણે જ ઈશ્વરભાઈનો પરિવાર અહીં આવીને વસ્યો છે. ઈશ્વરભાઈનો ભારત પ્રેમ વીટીવીના કેમેરા સમક્ષ છલકાઈ ગયો હતો.
અનેક શરણાર્થીઓને મળી વીટીવીની ટીમ
વીટીવીની ટીમ એક પછી એક શરણાર્થીઓને મળી હતી. ત્યાં ટીમને દેવરામભાઈનો પરિવાર મળી ગયો. દેવરામભાઈ પોતે પાકિસ્તાનમાં એક સરકારી નોકરિયાત હતા. પરંતુ સુરક્ષિત સ્થળના શોધમાં તેમણે સરકારી નોકરીને પણ તિલાંજલિ આપી દીધી. CAAને કારણે દેવરામભાઈના પરિવારમાં ખુશીનો કોઈ પાર નથી. તેમને તો નવી જિંદગી મળી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે.
CAAનો વિરોધ કરનારા જરૂર સાંભળે આ શરણાર્થીઓની વેદના
નોંધનીય છે કે, વીટીવી ટીમે અમદાવાદ અલગ અલગ વિસ્તારમાં રહેતા શરણાર્થીઓની મુલાકાત લીધી. તેમની વેદાના સાંભળી. જે લોકો CAAનો વિરોધ કરે છે તેમને અમારો આ ગ્રાઉન્ડ રિપોર્ટ અચુક જોવો જોઈએ અને શક્ય હોય તો આ શરણાર્થીઓની મુલાકાત લઈ સત્ય જાણવું જોઈએ ત્યાર પછી જ નાગરિક્તા સંશોધન એક્ટનો વિરોધ કરવો જોઈએ.