અમદાવાદમાં ચાલતા રાઇડ્સનાં કાળાકારોબાર વિશે વીટીવી પાસે એક એક્સક્લુઝીવ માહિતી સામે આવી છે. અમદાવાદના વસ્ત્રાપુર તળાવમાં આવેલા અમ્યૂઝમેન્ટ પાર્કને લઇને સૌથી મોટો ખુલાસો થયો છે. જેમાં કાંકરિયાના સંચાલક ઘનશ્યામ પટેલ પાસે જ આ અમ્યૂઝમેન્ટ પાર્ક વસ્ત્રાપુરનો કોન્ટ્રાક્ટ હોવાનું સામે આવ્યું છે. ઘનશ્યામ પટેલ સામે ચકાસણી વગર જ જોખમી રાઇડ ચાલુ રાખવાની ફરિયાદ નોંધાઇ છે.
અમદાવાદમાં ચાલતા રાઇડ્સનાં કાળાકારોબાર વિશે વીટીવી પાસે એક એક્સક્લુઝીવ માહિતી સામે આવી છે. અમદાવાદના વસ્ત્રાપુર તળાવમાં આવેલા અમ્યૂઝમેન્ટ પાર્કને લઇને સૌથી મોટો ખુલાસો થયો છે. જેમાં કાંકરિયાના સંચાલક ઘનશ્યામ પટેલ પાસે જ આ અમ્યૂઝમેન્ટ પાર્ક વસ્ત્રાપુરનો કોન્ટ્રાક્ટ હોવાનું સામે આવ્યું છે. ઘનશ્યામ પટેલ સામે ચકાસણી વગર જ જોખમી રાઇડ ચાલુ રાખવાની ફરિયાદ નોંધાઇ છે.
ત્યારે હવે વસ્ત્રાપુર તળાવમાં આવેલા અમ્યૂઝમેન્ટ પાર્ક પર પણ સવાલ ઉઠી રહ્યાં છે. કારણ કે, વસ્ત્રાપુર અમ્યૂઝમેન્ટ પાર્કમાં પણ કેટલીક જોખમી રાઈડ્સ નાખવામાં આવી છે. 12 વર્ષથી ઉપરના લોકોને જ બેસાડી શકાય તેવી 3 રાઇડ્સ અહીં વસ્ત્રાપુર અમ્યૂઝમેન્ટ પાર્કમાં છે. તમને જણાવી દઇએ કે સંચાલક ઘનશ્યામ પટેલ એ ભાજપનાં પૂર્વ કોર્પોરેટરનો ભાઈ છે. મેળાપિપણાંથી કોન્ટ્રાક્ટ મેળવ્યા પછી લોકોની જીંદગી જોખમમાં મૂકી રહ્યાં છે.
અમદાવાદમાં બાલવાટિકામાં રાઇડ્સ દુર્ઘટના બાદ હવે રાજકોટ તંત્ર પણ હરકતમાં આવ્યું છે. રાજકોટમાં ચાલતી રાઇડ્સની તપાસ કરાશે. RMC દ્વારા ફન વર્લ્ડમાં ચાલી રહેલી તમામ રાઇડ્સની તપાસ કરવામાં આવશે. જ્યાં સુધી તપાસ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તમામ રાઇડ્સ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો. મેકેનિકલ અને પોલીસનાં NOC પહેલા શરૂ રાઈડ નહીં થાય. બીજી બાજુ અમદાવાદની આ ઘટના બાદ વડોદરા તંત્ર પણ હવે જાગ્યું છે. વડોદરામાં ચાલી રહેલી રાઈડ્સ માટે તપાસના આદેશ અપાયા છે. આદેશ મળ્યા બાદ કમાટીબાગમાં આવેલી ખોડલ કોર્પોરેશનની રાઈડની તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં ટેક્નિકલ નિષ્ણાંતોની ટીમ તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે તમને જણાવી દઇએ કે અમદાવાદના કાંકરિયાના બાલવાટિકા પાસે રાઈડ તૂટતા 3 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા. ત્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ફાયરબ્રિગેડની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યુ હતું. ફાયરબ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે પણ પહોંચી ગઇ હતી. જો કે આ દુર્ઘટના બની ત્યારે 32 લોકો રાઈડમાં સવાર હતા. મુલાકાતીઓ દ્વારા તેમને બહાર કાઢવામાં આવ્યા. આ રાઈડ તૂટતા લોકો નીચે પટકાયા હતા. રાઈડના કૂચડા બોલી ગયા છે. 2 લોકોનાં ઘટના સ્થળે મોત થયા હતા. જેમાં મનાલી વી. રજવાડી(24 વર્ષ) અને મહમદ જાહીદ આર મોમીન(22 વર્ષ) સામેલ છે. જ્યારે અન્ય એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ એક બેદરકારીએ લીધો ભોગઃ
અમદાવાદના કાંકરિયામાં રાઈડ્સ તૂટવા મામલે નવો ખુલાસો થયો છે. રાઈડ્સના ફિટનેસ સર્ટીમાં ગંભીર બાબતો સામે આવી છે. ટેકનિકલ એક્સપર્ટે રાઈડ્સની કેટલીક ખામીઓ દૂર કરવા માટે સૂચના આપી હતી. રાઈડ્સના નટ બોલ્ટ બદલવા માટે પણ સૂચના આપવામાં આવી હતી. સાથે જ સેફ્ટી લોકની પણ ખરાઈ કરવા રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ સેફ્ટી રિપોર્ટ 6 જુલાઈએ કરવામાં આવ્યો હતો. જોકે માલિક અને રાઈડ્સ સંચાલક દ્વારા રિપોર્ટને ગંભીરતાથી લેવામાં નહોતો આવ્યો અને આ જ બેદરકારીના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે.
આ લોકો સામે નોંધાયો ગુનોઃ
અમદાવાદના કાંકરિયામાં રાઇડ તૂટવાના મામલે કુલ 6 લોકો સામે ગુનો નોંધાયો છે. સંચાલક, મેનેજર, 2 ઓપરેટર અને હેલ્પર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. રાઇડના માલિક ઘનશ્યામ પટેલની ગઇકાલે અટકાયત કરાઇ છે. કલમ 304 અને 114 મુજબ મણિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
આ મામલે પોલીસે 6 લોકો સામે ફરિયાદ કરી છે. તમામ લોકોની પોલીસે ધરપકડ પણ કરી છે. પોલીસે ઘનશ્યામ પટેલ, ભાવેશ પટેલ, તુષાર ચોકસી, યશ ઉર્ફે મહેન્દ્રભાઈ પટેલ, કિશન મહંતી અને મનીષ વાઘેલાની સામે ફરિયાદ દાખલ કરી છે. કાંકરિયાના આસિસ્ટન્ટ મેનેજર ચિરાગ પટેલ ફરિયાદી બન્યા છે. કાંકરીયામાં રાઇડ તૂટવાના મામલે બેદરકારી બદલ રાઇડના માલિક અને સંચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
જાણો CM રૂપાણીએ શું કહ્યું?
અમદાવાદનાં કાંકરિયામાં રાઈડ્સ તૂટવા મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે સાતમ -આઠમના મેળામાં ખાસ કાળજી રાખવામાં આવશે. આ સાથે જ પૂરતી ચકાસણી સાથે મંજૂરી આપવામાં આવશે. કાંકરીયા રાઇડસ તૂટવા મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે સંચાલકથી લઈને તમામ જવાબદારોની ધરપકડ કરવામાં આવી છે. આ જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.