ટંકારાના જબલપુર ગામે એક કિલોનું એક જામફળ પાકે છે તોતિંગ કહી શકાય તેવા થાઈલેન્ડ જેવાજામફળ છે. આ વાત સાંભળીને તમને માનવામાં નહિ આવે પણ વાત હંબક નથી નરી સત્ય વાત છે. જબલપુર ગામના એક ખેડૂત પોતાની મહેનતના પરસેવેથી એક કિલો જેવા જામફળનો પાકમેળવે છે. જેમાં એક જામફળનો એક કિલો જેટલો વજન છે. જોકે સામાન્ય રીતે એક કિલોમાં નાના અનેક જામફળ આવે છે પણ અહીં તો એક જામફળ એક કિલોનું છે. ત્યારે આ જામફળનું કેવી રીતે ખેડૂત ઉત્પાદન કરે છે અને તેમને જામફળની ખેતીમાં કેટલી ફાયદો થાય છે તે અંગે જોઈએ એક વિશેષ અહેવાલ.
26 વીઘા જમીનમાં કરી છે જામફળની ખેતી
35 ટન જામફળનું લે છે ઉત્પાદન
વાર્ષિક લાખો રૂપિયાની કરે છે કમાણી
ટંકારા તાલુકાના જબલપુર ગામે એક ખેડૂત દ્વારા નારિયલ કરતા મોટી સાઈઝના જામફળની ખેતી કરવામાં આવી રહી છે સ્વાભાવિક રીતે આ વાત કોઈને ગળે ઉતરે નહિ પરંતુ આ વાત સો ટકા સાચી છે. ટંકારાના જબલપુર ગામે જામફળની ખેતી કરતા મગનભાઈ એ કપાસ, મગફળી, ઘઉં, બાજરો સહિતના પાક દર વર્ષે લેતા ખેડૂતો જેટલી મહેનત કરે છે તેના પ્રમાણમાં તેને વળતર મળતું નથી તેવી તેમની ફરિયાદ રહેતી હોય છે પરંતુ તેઓ તેમના ખેતરમાં પાક બદલાવવાની કે પછી કોઈ ફેરફાર કરવાની તસ્દી લેતા નથી જેના કારણે સારી આવક મેળવી શકતા નથી તેથી તેઓ છેલ્લા પાંચ વર્ષથી ટંકારાના જબલપુર ગામે જામફળની ખેતી કરે છે.
“ધીરજ ન ફળ મીઠા”
ગુજરાતીમાં કહેવાય છેને “ધીરજ ન ફળ મીઠા” તે ધ્યાનમાં રાખીને પાંચ વર્ષ પહેલા થાઈલેન્ડના જામફળની ખેતી કરવાનો નિર્ણય કર્યો હતો અને છત્તીસગઢના રાયપુર ખાતેથી થાઈલેન્ડના જામફળના 5000 જેટલા રોપા લાવીને 30 વીઘાના ખેતરમાં તેનુ વાવેતર કર્યું હતું અને શરૂઆતના બે વર્ષ સુધી તાત્કાલિક પાક લેવાના બદલે આ ખેડૂતે બે વર્ષ સુધી પાકને ખેરવી નાખ્યો હતો જેના કારણે આ જામફળના રોપા મોટા થઇ જવાથી હાલમાં સરેરશ 250 ગ્રામથી સવા કિલો કરતા વધારે વજનદાર જામફળનો પાક તેઓને મળી રહ્યો છે
મહાકાય જામફળને થાઈલેન્ડના જામફળ કહેવામાં આવે છે
થાઈલેન્ડના જામફળની ખેતી કરનાર મગનભાઈએ વધુ વાત કરતા તેમણે કહ્યુ હતુ કે, બજારમાં તમે લાલ ચટાકેદાર અને સફેદ કલરના ખાટામીઠા જામફળ તો જોયા અને ખાધા પણ જ હશે પરંતુ તમે ૭૫૦ ગ્રામથી લઈને દોઢ કિલો સુધીનું માત્ર એક જામફળ જોયુ નહિ જ હોય, પરંતુ આવા જામફળ કે જે સ્વાદમાં પણ ખુબ જ લિજ્જતદાર હોય છે તેની મોરબી જીલ્લાના ટંકારાના જબલપુર ગામે આ તોતિંગ કહી શકાય તેવા જામફળની ખેતી કરવામાં આવી રહી છે આ મહાકાય જામફળને થાઈલેન્ડના જામફળ કહેવામાં આવે છે.
ઓછી મહેનતે સારુ એવુ વાળતર આ જામફળની ખેતી
જામફળની ખેતી કરનાર મગનભાઈ ગુજરાતના રાજકોટ, જામનગર, અમદાવાદ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં થાઇલેન્ડના આ જામફળને મોકલે છે. આ ઉપરાંત રાજ્ય બહાર પણ થાઈલેન્ડના જામફળનું માર્કેટ હોવાથી ત્યાં પણ આ જામફળ મોકલાવવામાં આવી રહ્યા છે આ રોપાની માવજત પુરી કરવી પડે છે અને જામફળના છોડમાં ઉધઇ ન આવે અને તેનો પૂરો વિકાસ થાય તે માટે પણ પુરતી કાળજી લેવી પડે છે તો પણ અન્ય પાકની ખેતીમાં જેટલી મહેનત કરવી પડે છે તેના કરતા ઓછી મહેનતે સારુ એવુ વાળતર આ જામફળની ખેતીમાં મળી રહે છે.
26 વીઘા ખેતીમાં કરવામાં આવે જામફળની ખેતીમાં આ વર્ષે ૩૫ ટન જેટલો પાક
26 વીઘા ખેતીમાં કરવામાં આવે જામફળની ખેતીમાં આ વર્ષે ૩૫ ટન જેટલો પાકનો ઉતારો આવ્યો છે અને તેની બજારમાં સારી એવી કીમત પણ મળી રહી છે. છેલ્લા ઘણા વર્ષોથી માત્રને માત્ર કપાસ કે મગફળીની ખેતી કરનાર ખેડું તો દ્વારા જો આ ખેડૂતની જેમાં નવી દિશામાં ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે તો સો ટકા તે લોકો પણ ઓછી મહેનતે સારી કમાણી ખેતીમાંથી કરી શકે તેમ છે. આ વર્ષે મગનભાઈના ખેતરમાં પાકેલા 25 ટન જેટલા થાઈલેન્ડના જામફળનો પાક બજારમાં સ્વાદ પ્રિય લોકો સુધી પહોચી ગયો છે અને દળદાર તેમજ સ્વાદિષ્ટ થાઈલેન્ડના જામફળ લોકોને ખવડાવ્યા પણ છે.