લાઈટ પાણી અને ગટર આ ત્રણ સુવિધાઓ આજના જમાનાની જરૂરિયાત છે પરંતુ સુરત મહાનગર પાલિકા હદ વિસ્તારમાં રહેતા લોકો માટે કદાચ મહાનગરપાલિકાને મને આ જીવન જરૂરિયાતની વસ્તુ નથી સુરત મહાનગરપાલિકા દ્વારા હાલમાં જ ભેસ્તાન ઉમેદ નગર ખાતે આવાસ ફાળવણી કરવામાં આવી જે આવાસો આ ત્રણેય સુવિધાથી વંચિત છે તો આવો જોઈએ કઈ હાલતમાં મળી રહ્યા છે ત્યાંના રહેશો અમારા વિશેષ અહેવાલ માં
આવાસના રહીશોને મકાનો ફાળવાયા
રહીશોમાં આવાસને લઇ રોષ
ડ્રેનેજ, પાણી અને લાઇટની નથી સુવિધા
એકવીસમી સદીના આ યુગમાં લાઈટ પાણી અને રસ્તા આ ત્રણ વગરનું જીવન કલ્પી ન શકાય પરંતુ સુરત મહાનગર પાલિકાના પાપે ભેસ્તાન આવેલા ઉમેદનગર આવાસમાં લોકોને મકાનની ફાળવણી કરી દેવામાં આવી આ ફાળવણી કોઈપણ જાતની સુવિધાઓ વગર કરી દેવામાં આવી છે હાલ આ આવાસમાં નથી લાઈટ નથી પાણી અને નથી ગટર આ ત્રણેય બેઝિક સુવિધા વગર ગઇકાલથી જ લોકો અહીં આવી ગયા છે અને આ પાયાની સુવિધા ન હોવાને કારણે લોકો પરેશાન થઇ રહ્યા છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા આજના વિસ્તારમાં આવેલ આંબેડકર નગરનો ડિમોલિશન કરતાની સાથે ત્યાં રહેતા ૬૮ જેટલા પરિવારોને આવાસની ફાળવણી કરવામાં આવી છે લોકો અહીંયા પહોંચ્યા ત્યાં સુધી એમને ખબર ન હતી કે અહીંયા પ્રાથમિક સુવિધાઓ જ અભાવ છે આવાસ માટે પરિવાર દીઠ 35000 રૂપિયા મનપા લેશે, જેમાંથી 3500 રૂપિયા તાત્કાલિક ભરી પણ દીધા છે હવે બાકીની રકમ સરળ હપ્તેથી પરિવાર ચૂકવશે.
રહીશો જલદ આંદોલન કરે તો પણ નવાઈ નહીં
કોઈપણ પ્રકારની સુવિધા ન હોવાને કારણે ઉમેદનગર આવાસમાં પહોંચેલા રહીશોમાં રોષ જોવા મળ્યો હતો રહીશો દ્વારા આંબેડકર નગર ના પૂર્વ કોર્પોરેટર ને પણ ત્યાં બોલાવવામાં આવ્યા હતા અને પૂર્વ કોર્પોરેટરે પણ આવીને જાની અસુવિધાઓ જોઈ તેઓ પણ ચકિત થઈ ગયા હતા જો કે તેમના દ્વારા તાત્કાલિક સુરત મહાનગરપાલિકાના કમિશનર નો સંપર્ક કરવામાં આવ્યો હતો જોકે મહાનગરપાલિકાના કમિશનર એ તાત્કાલિક સુવિધાઓ આપવાની વાત કરી છે પરંતુ લાઇટ પાણી અને ગટર આ ત્રણેય સુવિધાઓ તેમને લાંબો સમય સુધી નહીં મળી શકે કારણકે ત્યાંની પરિસ્થિતી જ ગંભીર છે જો તેમની માંગો માનીને તાત્કાલિક તેમને સુવિધાઓ નહીં આપવામાં આવે તો આગામી દિવસો માં ધ્યાન ના રહીશો જલદ આંદોલન કરે તો પણ નવાઈ નહીં
આંબેડકર નગરના રહીશોને ગોલ્ડન આવાસમાં તમને આવાસની ફાળવણી કરી આપીશું એ પ્રકારની બાહેધરી આપી ને તેમની પાસે ફોર્મ ઉપર સહી કરાવી લેવામાં આવી હતી જોકે ગોલ્ડન આવાસ નહીં પરંતુ ઉમેદ નગરના સુવિધા વગરના આવાસમાં તેમને ફાળવણી કરી દેવામાં આવતા તેઓ માં હાલ રોષ જોવા મળી રહ્યો છે.