ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં નેતાજી સુભાષચંદ્ર બોઝના પ્રદાનનું યથાર્થ મૂલ્યાંકન આજ સુધી થયું નથી, પરંતુ તેમણે જ્ઞાન, કર્મ, દૂરંદેશી અને સાહસનાં જે અદ્ભુત ઉદાહરણો પ્રસ્તુત કર્યા છે
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં નેતાજી સુભાષચંદ્ર બોઝના પ્રદાનનું યથાર્થ મૂલ્યાંકન આજ સુધી થયું નથી, પરંતુ તેમણે જ્ઞાન, કર્મ, દૂરંદેશી અને સાહસનાં જે અદ્ભુત ઉદાહરણો પ્રસ્તુત કર્યા છે તેને કારણે જનમાનસમાં તેમની પ્રતિષ્ઠા, તેમની ઇમેજ છે તે જોતાં ભારતીય ઇતિહાસના બે શિખર પુરુષો છત્રપતિ શિવાજી અને ગુરુ ગોવિંદસિંહની શ્રેણીમાં મૂકવાનું કેટલાક વિદ્વાનો પસંદ કરે છે. શસ્ત્ર, શાસ્ત્ર અને ક્ષાત્રતેજનો જે અદ્ભુત સમન્વય તેમના વ્યક્તિત્વમાં જોવા મળ્યો હતો, એ ભાગ્યે જ અન્ય કોઈમાં જોવા મળી શકે. જે રીતે શિવાજી મહારાજે ઔરંગઝેબની કેદમાંથી આગ્રાના કિલ્લામાંથી છટકીને ભાગી આવ્યા હતા એ રીતે નેતાજી સુભાષચંદ્ર બોઝ ત્યારના કોલકાતા હવે કોલકાતાના તેમના એલિંગ્ટન રોડ સ્થિત મકાનમાંથી છદ્મવેશે નીકળીને બર્લિન (જર્મની) પહોંચ્યા હતા.
સુભાષ બોઝના આ મહાભિનિષ્ક્રમણના ત્રણ તબક્કા છે -
પોતાના ઘરેથી રવાના થવું, ગોમોહથી પેશાવર અને ત્યાંથી કબાઇલી વેશભૂષામાં કાબુલ પહોંચવું અને એ પછી ત્રીજા તબક્કામાં ત્યાંથી સોવિયેત રશિયા થઈને બર્લિન પહોંચવું.
પ્રથમ તબક્કો વાતનો આરંભ બીજા વિશ્વયુદ્ધથી થાય છે. અંગ્રેજોની કુટિલ ચાલબાજીથી સુભાષ બોઝ સારી રીતે પરિચિત હતા. તેઓ એવું વિચારતા હતા કે અંગ્રેજોને શિકસ્ત આપવાની આ જ સારી તક છે. તેઓ ગમે તેમ કરીને સોવિયેત સંઘ પહોંચી બીજા વિશ્વયુદ્ધની મહાશક્તિઓને અંગ્રેજ સામ્રાજ્યવાદ વિરુદ્ધ વાળવા ઇચ્છતા હતા. આ પ્રવાસ માટે તેમના ચાર ઉદ્દેશ હતા. એક - કોંગ્રેસમાં સક્રિય મવાળ પરિબળો તેમને પ્રમુખપદેથી હટાવવામાં સફળ થયા હતા.
જહાલ પરિબળોને ગાંધીવાદીઓ વિરુદ્ધ વાળી શકાય તેમ ન હતા તો અંગ્રેજો વિરુદ્ધ પણ વાળી શકાય તેમ ન હતા.
જ્યાં સુધી અંગ્રેજોને સમાંતર સશસ્ત્ર શક્તિ ખડી કરવામાં ન આવે ત્યાં સુધી અંગ્રેજોને હટાવી શકાશે નહીં. ચાર - બીજા વિશ્વયુદ્ધે એક એવી તક આપી છે કે જેમાં ભારત એક સૈન્ય શક્તિ સ્વરૃપે અંગ્રેજો સામે ખડું થઈ શકે તેમ છે.
પ્રારંભિક મુશ્કેલીઓ તેમણે સોવિયેત સંઘ જેવા અંગ્રેજ વિરોધી દેશો પાસેથી શસ્ત્રો લેવાની યોજના બનાવી. ઉત્તર-પશ્ચિમી સરહદી પ્રાંતમાં સક્રિય ક્રાંતિકારીઓની મદદથી તેઓ રશિયામાં પ્રવેશ કરવા ઇચ્છતા હતા. નક્કી થયું કે તેઓ જુલાઈ ૧૯૪૦માં ભારત છોડી દેશે. આ બાબતમાં રવીન્દ્રનાથ ટાગોર, જયપ્રકાશ નારાયણ, લાલા શંકરલાલ, શાર્દૂલસિંહ ક્વીસર વગેરે નેતાઓ સાથે પણ તેમણે વિચાર-વિમર્શ કર્યાે. બધાએ તેમની યોજનાનું સમર્થન કર્યું. ઉત્તર-પશ્ચિમમાં તેમને રશિયા લઈ જવાની તૈયારીઓ પણ થઈ ગઈ, પરંતુ એ દરમિયાન તેમણે કોલકાતામાં હોવેલના સ્મારકને હટાવવાની માગણી અંગે આંદોલનની જાહેરાત કરી દીધી. કદાચ તેઓ અંગ્રેજોનું ધ્યાન પોતાના પ્રત્યેથી હટાવવા ઇચ્છતા હતા, પરંતુ તેમની એ યોજના સફળ થઈ નહીં. કેમ કે તેમની ધરપકડ કરવામાં આવી. નેતાજી કોઈ પણ ભોગે જેલમાંથી બહાર નીકળવા ઇચ્છતા હતા. આ સમયગાળો વિશ્વના ઇતિહાસ માટે અત્યંત નાજુક અને યુગાંતરકારી હતો. આવા સમયે તેઓ જેલમાં પોતાના દિવસો વ્યર્થ શા માટે જવા દે! આથી સુભાષચંદ્રએ મનોમન જેલમાંથી બહાર નીકળવાની યોજના બનાવી.
અંગ્રેજો કોઈ પણ ભોગે તેમને છોડવા ઇચ્છતા ન હતા. અંગ્રેજ સરકારને કદાચ તેમના દેશ-પલાયનની અગાઉની યોજનાની ગંધ આવી ગઈ હતી, પરંતુ સુભાષબાબુએ ૨૯ ઑગસ્ટ, ૧૯૪૦ના રોજ જેલમાં જ આમરણ ઉપવાસ શરૃ કરી દીધા. દિવસે-દિવસે તેમની તબિયત બગડતી ચાલી. પરિણામે પાંચમી સપ્ટેમ્બર, ૧૯૪૦ના રોજ એક એમ્બ્યુલન્સમાં એલ્ગિન રોડ ખાતેના તેમના ઘરે પહોંચાડી દીધા. તેઓ ઘરે તો આવી ગયા, પરંતુ પરોક્ષ રીતે એ પણ એમને માટે જેલ જેવું જ હતું. તેમના ઘરે હંમેશ પોલીસ અને જાસૂસોનો ચોકી પહેરો રહેતો. તેમનું સ્વાસ્થ્ય પણ બહુ કથળી ગયું હતું. આમ છતાં સુભાષ સક્રિય રહ્યા. તેઓ ઉત્તર-પશ્ચિમી સીમા પ્રાંતમાં સક્રિય ફોરવર્ડ બ્લોક અને કોમ્યુનિસ્ટ ક્રાંતિકારીઓ સાથે સતત સંપર્ક જાળવતા હતા, જેથી તેઓ ગમે તે રીતે ઘરેથી નીકળી શકે. આ કામમાં તેમને મોટા ભાઈ-ભાભીની મદદની પણ જરૃર પડી. તેમણે વિચાર્યું કે ભત્રીજા શિશિર બોઝ-જે તે
વખતે મેડિકલ કૉલેજમાં ભણતા હતા તેમની મદદથી જ ઘરની બહાર નીકળી શકે તેમ છે.
ડૉ. શિશિર બોઝે લખ્યું કે,
જેલમાંથી ઘરે આવ્યાના એક સપ્તાહ પછી એક દિવસ નેતાજીનો પટાવાળો આવ્યો. ત્યારે હું મારા વુડબર્ન પાર્કવાળા મકાન (જે એલ્ગિન રોડવાળા મકાનથી ત્રણ મિનિટના વૉકિંગ ડિસ્ટન્સ પર હતું) માં આરામ કરતો હતો. પટાવાળાએ કહ્યું કે, નેતાજી મળવા ઇચ્છે છે. હું સાંજે તેમને મળવા ગયો. તેઓ થોડા નબળા જણાતા હતા. દાઢી થોડી વધી ગઈ હતી. જ્યારે રૃમમાંથી બાકીના લોકો ચાલ્યા ગયા ત્યારે તેમણે કહ્યું, અમારા એકટા કાજ કોર્તે પાબે?' (મારું એક કામ કરીશ?) મેં માથું હલાવી હા પાડી. તેમણે કહ્યું તું ગાડી કેવી રીતે ચલાવે છે?
મેં કહ્યું - એકંદરે ઠીક જ ચલાવી લઉં છું.
ક્યારે લાંબા અંતરે ચલાવી છે?
જો તારે મને એક રાત્રે બહુ દૂર સુધી ગાડીમાં લઈ જવાનો છે. માનો કે વર્દમાન સુધી, પરંતુ કોઈને જાણ થવી ન જોઈએ. કરી
શકીશ?
હું ચુપ રહ્યો. તેનો અર્થ તેમણે સંમતિનો કર્યો. એ પછી લગભગ રોજ તેમની સાથે મુલાકાત થતી. યોજનાઓ બનતી.
ઘરેથી નીકળવાની અનેક યોજનાઓ બનતી, પછી રદ થઈ જતી. તેઓ એવું માનતા હતા કે ઘરેથી બહાર નીકળવાની યોજના એવી બનવી જોઈએ કે જેના પર તસુભાર પણ શંકા ન થઈ શકે. તેના પર જ આગળની સફળતાનો આધાર રહેશે. એ દરમિયાન તેમણે પોતાની બીમારીનું બહાનું કરીને પોતાની તમામ વ્યસ્તતાઓ, કોર્ટ-કચેરી બધું જ સ્થગિત કરી દીધું. ૨૫ ડિસેમ્બરે તેમણે મને ક્યાંય અટક્યા વિના વર્દમાન જવા અને આવવાનો પૂર્વાભ્યાસ કરવા માટે મોકલ્યો, જેથી પછી કોઈ પ્રકારનોઅવરોધ ન આવે. લગભગ બધી તૈયારી થઈ ચૂકી હતી. બીજી બાજુ ઉત્તર-પશ્ચિમમાં આગળના પ્રવાસની તૈયારી માટે તેમણે ત્યાંના ફોરવર્ડ બ્લોક નેતા મિયાં અકબર શાહને કોલકાતા બોલાવી લીધા. અકબર શાહ લખે છે,
ડિસેમ્બર ૧૯૪૦ની વાત છે. હું નૌશેરા જિલ્લાના બદરાશી ગામમાં મારા ઘરે હતો ત્યારે મને એક તાર મળ્યો રીચ કોલકતા-બોસ. મને લાગ્યું કે કામ જરૃરી હશે, એથી તરત બોલાવ્યો છે. હું બીજા જ દિવસે ફ્રન્ટિયર મેલમાં કોલકતા જવા નીકળી ગયો. ચોથે દિવસે સવારે એલિંગ્ટન રોડ પરના તેમના નિવાસે ગયો.
તેમણે કહ્યું - તમે જાણતા જ હશો કે હું જેલમાં હતો. અંગ્રેજો મને કોઈ પણ સંજોગોમાં જલ્દી છોડે તેમ ન હતા. એથી મેં ઉપવાસ કર્યા. તેથી મને છોડવો પડ્યો. હવે હું ગમે તે રીતે કબાઇલી વિસ્તારોમાંથી થઈને કાબુલ પહોંચવા ઇચ્છું છું. ત્યાંથી આગળ જઈશ. મને તેમાં તમારી મદદ જોઈએ છીએ. કેમ કે
તમને એ વિસ્તારની માહિતી છે.
મેં કહ્યું - ઠીક છે. હું તમને કાબુલ લઈ જઈશ. કોઈ મુશ્કેલી નથી, પરંતુ તમારે પેશાવર સુધી રેલવે પ્રવાસ કરવો પડશે અને ત્યાંથી કાબુલ સુધી કબાઇલી વિસ્તારમાંથી થઈને પગપાળા જવું પડશે.
ડૉ. શિશિર બોઝ લખે છે
મિયાં અકબર શાહના પાછા જતાં પહેલાં અમે ધર્મતલ્લા સ્ટ્રીટમાં આવેલ વાચેલ મુલ્લાના મોહમડન ડિપાર્ટમેન્ટ સ્ટોરમાંથી નેતાજી માટે કપડાં ખરીદ્યા, ફૈઝ ટાઇપ ટોપી અને બે પાયજામા લીધા. એ પછી હેરિસન રોડ પરની એક દુકાનમાંથી તેમને માટે સૂટકેસ, એટેચી અને બિસ્તરો લીધા. તેના પર અંગ્રેજીમાં એમ.ઝેડ (મુહમ્મદ ઝીયાઉદ્દીન) લખાવ્યું. મ્યુનિસિપલ માર્કેટની એક દુકાનમાંથી કાબુલી ચપ્પલ લીધા. એટેચીમાં બાકીની ચીજવસ્તુઓ સાથે કુરાનની બે આવૃત્તિઓ, કેટલીક દવાઓ, આયુર્વેદિક ટૉનિક વગેરે પણ રાખ્યા. રાજા બજાર સ્ટ્રીટમાં એક પ્રિન્ટિંગ પ્રેસમાં તેમના વિઝિટિંગ કાર્ડ છપાવ્યા. મુહમ્મદ ઝીયાઉદ્દીન
ટ્રાવેલિંગ ઇન્સ્પેક્ટર
ધ એમ્પાયર ઓફ લાઇફ એશ્યોરન્સ કો. લિ.
સિવિલ લાઇન્સ, જબલપુર.
મોટા ભાગનો સામાન મેં મારી પાસે વુડબર્ન પાર્કના મકાનમાં રાખ્યો. હા. બિસ્તરો થોડા સમય પહેલાં એલિંગ્ટન રોડ પર પહોંચાડી દીધો, જેથી નેતાજી તેમાં તેમની ઇચ્છા પ્રમાણે પેકિંગ કરી શકે. અમારી પાસે બે કાર હતી. એક મોટા મૉડેલની સ્ટડબેકર પ્રેસિડેન્ટ અને બીજી જર્મન મૉડેલ નાની વન્ડરર. આ નાની કારનું રજિસ્ટ્રેશન મારા જ નામથી કરાવવામાં આવ્યું હતું અને તેને હું જ ચલાવતો હતો. નક્કી થયું કે આ જ કારમાં પહેલાં બરાડી (ધનબાદ પાસે) જવું, મારા મોટા ભાઈ પાસે, તેઓ ત્યાં કામ કરતા હતા. એક દિવસ ત્યાં રોકાઈને પછી ટ્રેન પકડવી.
એ દરમિયાન એક વખત ફરી મને બરાડી મોકલવામાં આવ્યો, રસ્તાનું બરાબર નિરીક્ષણ કરવા માટે. એકાંતવાસ અને મૌનવ્રતના આવરણમાં તેમણે આખરી યોજના એવી બનાવી કે જે દિવસે તેઓ ઘરેથી નિકળશે, એ પહેલાં તેઓ એવી જાહેરાત કરશે કે તેઓ આજથી એકાંતવાસ અને મૌનવ્રત રાખી રહ્યા છે. કોઈની સાથે વાતચીત નહીં કરે. કોઈને મળશે નહીં, કોઈને નિહાળશે પણ નહીં. પાર્ટિશનની પાછળથી રૃમમાં ભોજન રાખી દેવામાં આવશે. જે કાંઈ પૂછવું હોય એ માટે લખીને ચિઠ્ઠી મોકલવી પડશે. તેઓ માત્ર ફળો અને સૂકો મેવો તેમ જ શુદ્ધ શાકાહારી ભોજન કરશે. તેમણે ઘણી બધી ચિઠ્ઠીઓમાં સૂચનાઓ લખીને રાખી દીધી. અનેક સાથીઓને ચિઠ્ઠીઓ-પત્રો લખ્યા, જેથી તેમને પછીની તારીખોમાં મોકલી શકાય. તેમના ગયા પછી ઇલા અને ભત્રીજો દ્વિજેન વારાફરતી તેમની આ ભૂમિકા નિભાવશે.
શિશિર બોઝે આગળ લખ્યું છે કે,
કાકાજીએ ૧૪ જાન્યુઆરીએ જ જણાવ્યું કે તેઓ ૧૬ જાન્યુઆરીએ નિકળશે. મેં તુરંત કારને સર્વિસમાં આપી દીધી. કૉલેજમાંથી રજા લેવાની જરૃર જણાઈ નહીં. ૧૬ તારીખે હું કૉલેજ ગયો અને કોઈ બહાનું કાઢી વહેલો પાછો આવી ગયો. સાંજ થતાં જ બેગ-બિસ્તરા તૈયાર કર્યા. ઉતાવળે થોડું ભોજન કરી લીધું. મા પાસેથી થોડા પૈસા માગ્યા. ગેરેજમાંથી કાર કાઢી. ચાલાકીથી સામાન ગોઠવ્યો. લગભગ સાડા આઠ વાગે હું મારા વુડબર્ન પાર્કના ઘરેથી નીકળ્યો. ગેટ પર નોકરોને કહ્યું કે હું રિશડાવાળા ફાર્મ હાઉસ જઈ રહ્યો છું. જો ૧૧ વાગ્યા સુધી પાછો ન આવું તો દરવાજો બંધ કરી દેવો. મેં ગાડીમાં લોઅર સરક્યુલર રોડ પર એક પેટ્રોલપંપ પર પેટ્રોલ ભરાવ્યું. એક વધારાનું કેન પણ ભરાવ્યું. ટાયરોમાં હવા ભરાવી, બેટરી ચેક કરી અને પછી ફરતો ફરતો એલિંગ્ટન રોડ પર ઘરની પાછળનાં પગથિયાં પાસે ગાડી રાખીને હું ઉપર ચાલ્યો ગયો.
એ દિવસે કાકાજી (સુભાષ બાબુ)એ ઘરના સભ્યો સાથે ભોજન કર્યું. ઘરના બધા લોકોને એકાંતવાસ વિશે જણાવ્યું અને એ વિશે બધાને જરૃરી સૂચના આપી. બધા લોકોના ગયા પછી નેતાજીએ પોતાની જાતને મુહમ્મદ ઝીયાઉદ્દીનના વેશમાં તૈયાર કરી. દ્વિજેનને કહેવામાં આવ્યું કે ઉપર જઈને રસ્તા પર નજર રાખે અને જ્યારે રસ્તો એકદમ સૂમસામ થઈ જાય ત્યારે ઉધરસ ખાઈને તેમને જવાનો સંકેત આપે. અમે લગભગ ત્રણ કલાક સુધી દ્વિજેનની ઉધરસ ખાવાની રાહ જોઈ, એ પછી અમને જવાનો સંકેત મળ્યો. તેમણે ઇલા પાસેથી વિદાય લીધી અને કહ્યું કે, તેમના ગયા પછી એક કલાક સુધી લાઇટ ચાલુ રાખવી.રાત્રીના લગભગ દોઢ વાગે અમે લોકો નીચે ઊતર્યા. કાકાજીએ ધીમેથી કારનો દરવાજો ખોલ્યો અને કોઈ અવાજ કર્યા વિના બેસી ગયા. તેમણે અવાજના ડરથી દરવાજો પણ પકડી રાખ્યો, બંધ ન કર્યો.