રક્ત ચંદન જે નામે અને તેનું કોઈ ના પાસે હોવું અને ખુબજ મૂલ્યવાન ગણવામાં આવે છે. એક એવા વૃક્ષ જેની કીમત છે લાખો માં, અને દરેક ખેડૂત તેની ખેતી કરી શકે એ શક્ય પણ નથી, પાક તૈયાર થશે એટલે ખેડૂત થઇ જશે અરબોપતિ, ભારત દેશ માં માત્ર આંધ્રપ્રદેશ ના કડપ્પા જીલ્લા માં થાય છે આ વૃક્ષો ની ખેતી, હવે આ ખેતી ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતો કરી છે. જુઓ વિટીવી વિશેષ 'રક્ત ચંદન.' એક મૂલ્યવાન વૃક્ષ
૩૫ એકર ના ખેતર માં આશરે ૧૫૦૦૦ જેટલા વૃક્ષો વાવ્યા
આજે આ વૃક્ષો ૧૩ વર્ષ ના થઇ ગયા
૧૯૯૫ માં આંધ્રપ્રદેશમાંથી બીજ લાવીને રોપ્યા હતા
25 વર્ષે 5,00,000 લાખનું રોકાણ 15,અબજની આવક
11 બાય 11માં એકરે 350 પ્લાન્ટ ઉગે, મેં 5 એકરમાં ઉગાડ્યા છે એટલે 15000 ઝાડ ઉગાડ્યા છે. એટલે એક 35 એકરમાં 15000 છોડનો વાવ્યા છે. એક એકરે 50,000નું શરૂઆતી રોકાણ થાય છે એટલે 35 એકરનો ખર્ચ 250000 થાય ત્યાર બાદ દર વર્ષે નિભાવ ખર્ચ 10, 000 એટલે 25 વર્ષ માટેનો નિભાવ ખર્ચ 2,50,000 આવે. એટલે શરૂઆતી રોકાણ બાદ 25 વર્ષ સુધીનું કુલ રોકાણ 50000 થાય સામે આવક જોઈએ તો આ એક વૃક્ષ 200થી 250 કિલો હાર્ડ વુડ આપે જેની માર્કેટ વેલ્યુ એક કિલોના ઓછામાં ઓછી 5000 છે એટલે એક ઝાડની ચંદનની કમાણી 10 લાખ થાય. એ રીતે 15000 ઝાડની કિંમત 25 વર્ષે થાય 15અબજની આવક થશે,
આ વૃક્ષો ની કીમત કરોડોમાં નહિ પરંતુ અરબો
આ વૃક્ષો ના જંગલ કોઈ જંગલ વિસ્તારના નથી પરંતુ માંગરોળ તાલુકાના ધામડોદ ગામના છે , અને આ વૃક્ષોની કીમત કરોડોમાં નહિ પરંતુ અરબો રૂપિયામાં છે, જી હા સાંભળીને ઝટકો લાગશે, આ વૃક્ષો છે લાલ ચંદનના આ લાલ ચંદનને રક્ત ચંદન પણ કહેવામાં આવે છે ,અને એની કીમત કરોડો માં હોઈ છે કામરેજ ના ખેડૂત વલ્લભ ભાઈ પટેલે પોતાના ૩૫ એકરના ખેતરમાં આશરે ૧૫૦૦૦ જેટલા વૃક્ષો વાવ્યા છે અને આજે આ વૃક્ષો ૧૩ વર્ષ ના થઇ ગયા છે મોટા ભાગે આ લાલ ચંદનની ખેતી આંધ્ર પ્રદેશ માં થાય છે હવે જોઈએ કામરેજ ના ખેડૂત ને આ આઈડિયા ક્યાંથી આવ્યો.
૧૯૯૫ માં આંધ્રપ્રદેશમાંથી બીજ લાવીને રોપ્યા હતા
કામરેજ ના ખેડૂત વલ્લભ ભાઈ પટેલ એક જાગૃત ખેડૂત છે, આપ સૌને જાણવતા આનંદ એ વાત નો પણ થાય છે કે ભારત દેશ માં સર્વ પ્રથમ સ્વીટ કોર્ન જેને અમેરિકન મકાઈ પણ કેહવામાં આવે છે, એનો સ્વાદ ચખાડનાર પણ વલ્લભ ભાઈ જ હતા, ૧૯૯૫ માં પપ્પારાવ નામના ડી એફ ઓ મિત્રએ એમની ખેતી પ્રત્યે ની રૂચી જોઈ એમને આન્દ્રપ્રદેશ ના કડપ્પા જીલ્લા માંથી જ્યાના તેઓ વતની હતા ત્યાંથી લાલ ચંદન એટલે કે રક્ત ચંદનના વૃક્ષ ના થોડા બીજ લાવી આપ્યા હતા. જોકે ત્રણ વર્ષ રાહ જોયા બાદ પણ બીજ માંથી યોગ્ય વિકાસ નહી થતા તેઓએ ફરીથી મિત્ર પપ્પારાવ ને આ બાબતે જાણ કરી હતી. પપ્પારાવે તેમણે ધીરજ રાખવા જણાવતા આખરે મેહનત રંગ લાવી અને લાલ ચંદન ના છોડ ખીલી ઉઠ્યા ત્યારબાદ ખેડૂતે જાતે કડપ્પા જીલ્લા માં જઈ રક્ત ચંદન ના જંગલો ની મુલાકાત લીધી અને રોજ બરોજ લાલ ચંદન ઝડપાયા હોવાના કિસ્સા સાંભળ્યા અને પછી તો પહેલા પોતાની જમીન માં ૧૦૦૦૦ રોપા અને ત્યારબાદ ૫૦૦૦ એમ ૧૫૦૦૦ વૃક્ષો વાવી દીધા આજે એ રોપા એ જંગલ નું સ્વરૂપ લઇ લીધું છે.
દર વર્ષે એકર દીઠ ૧૦૦૦૦ ખર્ચ થાય
આંધ્ર પ્રદેશ ના કડપ્પા જીલ્લા માં જ્યાં લાલ ચંદન ની ખેતી થાય છે ત્યાં તાપમાન લગભગ ૪૭ ડીગ્રી જેવું હોઈ છે અને જમીન પણ પથરાળ ,જોકે કડપ્પા ના મુકાબલે દક્ષીણ ગુજરાત ની જમીન વધુ સમતળ અને ફળદ્રુપ જેથી વલ્લભભાઈ ને પાક સફળ થશે એવો વિશ્વાસ હતો ,વલ્લભ ભાઈ એ એક એકર માં ૧૧ - ૧૧ ફૂટ ના અંતરે છોડ વાવ્યા હતા જે એક એકર માં ૩૫૦ જેટલા છોડ વાવણી થયા હતા ,લાલ ચંદન ના નિભાવ ખર્ચ ની વાત કરવામાં આવે તો આ પહેલા વર્ષે એક એકરે લગભગ ૬૦૦૦૦ જેવો ખર્ચ થાય છે. ત્યારબાદ દર વર્ષે એકર દીઠ ૧૦૦૦૦ ખર્ચ થાય છે.
૫ - ૭ વર્ષ પછી પાણી પીવડાવવાની પણ જરૂર રેહતી નથી
લાલ ચંદન ના મુળિયા એટલા ઊંડે સુધી જાય છે કે ૬૦ થી ૭૦ કિલોમીટર ની ઝડપે ફૂકાતો પવન ના આ વૃક્ષ ને નુકશાન કરી શકતો નથી ઉપરાંત મુળિયા ઊંડે સુધી જવાના કરને ૫ - ૭ વર્ષ પછી પાણી પીવડાવવાની પણ જરૂર રેહતી નથી સાથે સાથે આ વૃક્ષ પોતાની જરૂરત મુજબ નો નાઈટ્રોજન પણ જાતેજ પેદા કરી લે છે. જેથી ખેડૂત ને માત્ર ફોસ્ફરસ આપવાની જરૂર પડે છે.
કરોડોના ચંદનની થાય છે દાણચોરી
લાલ ચંદન નું આંતરરાષ્ટ્રીય બજાર બહુજ મોટું છે અને ચાઈના માં સૌથી વધુ લાલ ચંદન ની ખપત થાય છે. ઉપરાંતન જાપાન અને અન્ય દેશો માં પણ લાલ ચંદન ની મોટી માંગો છે ,દર વર્ષે માત્ર આંધ્રપ્રદેશ માંથી ૩૦ થી ૪૦ હજાર કરોડ નું લાલ ચંદન વિદેશો માં ગેરકાયદેસર રીતે જાય છે ,આંતરરાષ્ટ્રીય માં થતા ગેરકાયદેસર નિકાસ ને લઇ આંધ્ર પ્રદેશ સરકાર દ્વારા આને રોકવા માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ની રચના પણ કરવામાં આવી છે જેનું બજેટ ૨૦૦૦ કરોડ થી વધુ નું છે.
૧૫ થી ૧૭ વર્ષ બાદ આ લાલ ચંદન ના વૃક્ષો વેચવા પાત્ર થઇ જાય છે
લાલ ચંદન નો ઉપયોગ વધુ દવા બનાવવામાં થાય છે એના સિવાય ચાઈના માં લાલ ચંદન ની ચોપ સ્ટીક ઉપરાંત બુધ્ધિષ્ઠ સાધુઓના વસ્ત્રો ડાઈ કરવામાં પણ લાલ ચંદનનો ઉપયોગ થાય છે કેટલાક દેશો માં આ લાલ ચંદન નો ઉપયોગ વ્હીસ્કી બનવવામાં પણ થાય છે લાલ ચંદન કીમતી હોવાને કારણે એની દેખભાળ અને જાણવાની પણ ખુબજ જરુરી છે, ૧૫ થી ૧૭ વર્ષ બાદ આ લાલ ચંદન ના વૃક્ષો વેચવા પાત્ર થઇ જાય છે જેને લઇ ખેડૂત દ્વારા પોતાના ૩૫ એકર ના ખેતર માં ચારે તરફ પાકી દીવાલો ચણી દીધી છે સાથે ૨ માણસો ૨૪ કલાક ખેડૂત ની રખેવાળી પણ કરે છે ,અને સાથે સાથે ૧૫ જેટલ ખેતમજુરો પણ રખરખાવ માં ૨૪ કલાક ખેતર પર ઉપલબ્ધ રહે છે.
૨૫ વર્ષે પુખ્ત થાય ત્યારે કાપવા માટે પણ વન વિભાગની મંજુરી
લાલ ચંદનને ખેતી કરવા માટે સરકારની મંજુરી પણ જરૂરી છે ,જયારે રોપાન કરવામાં આવે ત્યારે તમારે સરકારી ચોપડે જમીનના સર્વે નંબર અને ૭/૧૨માં કેટલી જમીનમાં કેટલા વૃક્ષો વાવ્યા એની નોંધણી કરવી ફરજીયાત છે અને જયારે વૃક્ષ ૨૫ વર્ષે પુખ્ત થાય ત્યારે કાપવા માટે પણ વન વિભાગની મંજુરી એટલીજ જરૂરી છે જોકે લાલ ચંદન વેચવા માટે સરકાર દ્વારા ખેડૂતને મોકલું મેદાન આપવુંમાં આવ્યું છે. એના પર કોઈ પ્રતિબંધ લાદવામાં આવ્યા નથી જેથી ખેડૂત એને ક્યાં પણ વેચી શકે છે.
વૃક્ષ જયારે પુખ્ત થાય ત્યારે લગભગ ૨૦૦ થી ૨૫૦ કિલો જેટલું લાકડું આપે છે
લાલ ચંદન ની કીમત ની વાત કરવામાં આવે તો લાલ ચંદન આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય બજાર માં ૨૫૦ રૂપિયા કિલો થી લઇ ૧૦૦૦૦ રૂપિયા કિલો સુધી વેચાઈ છે જોકે લાલ ચંદન ની કીમત એની ગુણવત્તા પર નક્કી કરવામાં આવે છે ,એક વૃક્ષ જયારે પુખ્ત થાય ત્યારે લગભગ ૨૦૦ થી ૨૫૦ કિલો જેટલું લાકડું આપે છે જોકે હાલ વલ્લભ ભાઈ પટેલ ના લાલ ચંદન ની કીમત લેબોરેટરી માં ટેસ્ટ કર્યા બાદ ૫૦૦૦ રૂપિયા પ્રતિકિલો છે જે ૨૫ વર્ષ બાદ વધી પણ શકે છે , જોકે આજ અંગે નવસારી યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિક શુ કહી રહ્યા તે પણ સાંભળો.
1 કિલો ની કીમત ૫૦૦૦ પણ ગણીએ તો એક વૃક્ષ ૧૦ લાખ રૂપિયા નું થશે
આ વૃક્ષ જયારે પુખ્ત થશે ત્યારે એક વૃક્ષ માંથી આશરે ૨૦૦ કિલો લાકડું મળશે અને કિલો ની કીમત ૫૦૦૦ પણ ગણીએ તો એક વૃક્ષ ૧૦ લાખ રૂપિયા નું થશે અને એને ૧૫૦૦૦ સાથે ગુણાકાર કરવામાં આવે તો કીમત કરોડો નહિ પણ અરબો રૂપિયા માં થશે ,જેથી વલ્લભ ભાઈ અન્ય ખેડૂતો ને પણ લાલ ચંદન ની ખેતી કરવા અપીલ કરી રહ્યા છે.