PM મોદીનો બાંગ્લાદેશ સ્વતંત્ર સંગ્રામમાં ભાગ લેવાનો મામલો હાલ સોશિયલ મીડિયા ગજવી રહ્યો છે. ત્યારે કિશોર મકવાણાએ દાવો કર્યો છે કે આ વાત સાચી છે અને તેનો પુસ્તકોમાં પણ ઉલ્લેખ છે.
મોદીના બાંગ્લાદેશ સ્વતંત્ર ચળવળમાં ભાગ લેવાનો મુદ્દો
મોદીના નિવેદન બાદ સોશિયલ મીડિયામાં ઘમાસાણ
મોદી બાંગ્લાદેશ મુક્તિ મુદ્દે જેલ ગયા છેઃ કિશોર મકવાણા
PM મોદીનો બાંગ્લાદેશ સ્વતંત્ર સંગ્રામમાં ભાગ લેવાનો મામલો હાલ સોશિયલ મીડિયા ગજવી રહ્યો છે. આ મામલે વડાપ્રધાનના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ધમાસાણ ખેલાઈ રહ્યુ છે. વિરોધ પક્ષના નેતાઓ PM મોદીના નિવદનની આલોચનાઓ કરી રહ્યા છે ત્યારે મોદી પર પુસ્તક લખનાર કિશોર મકવાણાએ દાવો કર્યો છે કે આ વાત સાચી છે.
શું કહે છે કિશોર મકવાણા?
PM મોદી પર પુસ્તક લખનાર કિશોર મકવાણાનો દાવો છે અને આ અંગે પુસ્તકોમાં ઉલ્લેખ પણ છે તે મુજબ પીએમ મોદીએ ભાગ લીધો હતો. બાંગ્લાદેશની મુક્તિ ચળવળમાં મોદી જેલમાં ગયા હતા. સંઘે બાગ્લાદેશમાં અત્યાચાર મુદ્દે સત્યાગ્રહ કર્યો હતો. Pm મોદી એ વખતે દિલ્હીમાં સત્યાગ્રહ દરમિયાન જેલમાં ગયા હતા. બાંગ્લાદેશમાં અત્યાચાર-જનસંહાર સામે સત્યાગ્રહ હતો
કયા પુસ્તકોમાં છે ઉલ્લેખ
કિશોર મકવાણાએ 'કોમનમેન નરેન્દ્ર મોદી' પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં મોદી બાંગ્લાદેશ મુક્તિ મુદ્દે જેલ ગયાનો ઉલ્લેખ જોવા મળ્યો છે. કિશોર મકવાણા સંઘ સાથે જોડાયેલા છે. મોદીએ લખેલા 'સંઘર્ષમાં ગુજરાત' પુસ્તકમાં બાંગ્લાદેશનો ઉલ્લેખ છે. પુસ્તકમાં લેખક પરિષયમાં બાંગ્લાદેશ મુદ્દે જેલ ગયાનો ઉલ્લેખ છે.
બાંગ્લાદેશમાં મોદીના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ઘમાસાણ મચ્યુ છે ત્યારે વિરોધીઓ PM મોદીના દાવો ખોટો હોવાનું અનુમાન લગાવી રહ્યા છે અને આ મુદ્દે મીમ્સથી લઈ કાર્ટુનોની ભરમાર સોશિયલ મીડિયા પર હાલ ધૂમ મચાવી રહી છે.
શું કહ્યુ હતુ PM મોદીએ?
મોદીએ કહ્યું હતું કે તે બાંગ્લાદેશની આઝાદી માટે તેઓ જેલમાં પણ ગયા હતા. બાંગ્લાદેશની આઝાદીનું આંદોલન મારા જીવનના શરૂઆતી આંદોલનોમાંનું એક છે. એ વખતે મારી ઉમંર 20-22 વર્ષ હતી. જ્યારે હું અને મારા ઘણા સાથી મિત્રો સાથે આઝાદીની આ લડાઈમાં જોડાયા હતા. જો કે આ પહેલા તેમણે તત્કાલીન વડાપ્રધાન ઈંદિરા ગાંધીની પ્રશંસા કરી હતી. અને તેમણે એ વખતે લીધેલા નિર્ણયની સરાહના કરી હતી.
બાંગ્લાદેશની આઝાદીને તમામ લોકોનું સમર્થન હતુ
બાંગ્લાદેશના 50માં સ્વતંત્ર દિવસને દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાંગ્લાદેશ પહોંચ્યા હતા. ત્યારે ઢાકામાં મોદીએ કહ્યુ હતુ કે, આઝાદીનો એ સમય મને યાદ છે. અને એ આઝાદીના યુદ્ધને યાદ કરવાની આ ક્ષણો હું ક્યારેય નહીં ભૂલુ. એ આઝાદીની લડતને તમામ લોકોનું સમર્થન હતુ.
કોંગ્રેસ નેતા શશી થરૂરે પણ આ મુદ્દે ટ્વિટ કરી નાંખ્યું. જોકે સત્ય જાણવા મળ્યું ત્યારે થરૂરે માફી માંગી છે.
ટ્વિટ કરીને કહ્યું : સોરી
કોંગ્રેસ નેતા શશી થરૂરે પ્રધાનમંત્રી નરેન્દ્રના બાંગ્લાદેશ યુદ્ધ પર થયેલા ભાષણ બાદ માફી માંગી છે. તેમણે પોતાની ભૂલ સ્વીકારીને કહ્યું કે ઉતાવળમાં આવીને હેડલાઇન વાંચ્યા બાદ ટ્વિટ વાંચીને મેં ટ્વિટ કરી નાંખ્યું હતું. શશી થરૂરે સવારે પીએમ મોદીના ભાષણ વિશે ટ્વિટ કરતાં કહ્યું કે જૉ હું ખોટો હોવ તો મને સ્વીકારવામાં ખોટું નથી લાગતું. ગઇકાલે ઉતાવળમાં આવીને મેં હેડલાઇન વાંચીને જ ટ્વિટ કરી નાંખ્યું હતું. પીએમ મોદીએ ઈન્દીરા ગાંધીના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો. સોરી.
સાંજે શું ટ્વિટ કર્યું હતું?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક ભાષણના હિસ્સાને ટ્વિટ કરતાં થરૂરે કહ્યું હતું કે અમારા પ્રધાનમંત્રી ફેક ન્યૂઝનો સ્વાદ ચખાડી રહ્યા છે. આખી દુનિયા જાણે છે કે બાંગ્લાદેશને કોણે આઝાદ કરાવ્યું હતું.