કોરોના મહામારી ને પગલે સમગ્ર વિશ્વમાં હાહાકાર સર્જાયું છે તેમજ તેની સૌથી વિ ઘાતક અસરો શિક્ષણ ઉપર થવા પામી છે શિક્ષણ જગતમાં છેલ્લા નવ માસથી અભ્યાસ નહીવત થઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ઓનલાઇન કોન્સેપ્ટ મુકાય છે જોકે સાબરકાંઠાના વનવાસી વિસ્તારમાં ઓનલાઇન અભ્યાસ સંપૂર્ણ પણે નિષ્ફળ ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે જોઈએ VTV નો વિશેષ અહેવાલ.
9 મહિનાથી રમતમાં સમય પસાર કરે છે વિદ્યાર્થીઓ
10માં ધોરણના વિદ્યાર્થીઓ કરે છે ખેતરમાં મજૂરી
ગરીબ માતા-પિતા પાસે નથી એન્ડરોઈડ ફોનની સુવિધા
કોરોના મહામારી ને પગલે સૌથી વધુ અસર ૬૫ વર્ષથી વધુ વયના લોકો તેમજ નાના બાળકોને સરળતાથી સંક્રમણ લાગે છે જે દૂર કરવા માટે ગત માર્ચ માસથી પ્રાથમિક શાળા થી લઇ મહા શાળાઓને બંધ કરાઈ છે જોકે કોરોના સંક્રમણ યથાવત રહેવા ને પગલે રાજ્ય સરકાર દ્વારા બાળકો શિક્ષણ આપવા માટે ઓનલાઇન કોન્સેપ્ટ અમલી કરાયો તેમજ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરનારા શિક્ષકોને પણ છેવાડાના બાળક સુધી શિક્ષણ પહોંચે તે માટે વિશેષ તકેદારી રાખવા જણાવાયું હતું જોકે સાબરકાંઠાના વનવાસી વિસ્તારના મોટાભાગના બાળકો પાસે આજે પણ એન્ડ્રોઇડ મોબાઈલ નથી તેમજ મોટાભાગના વિસ્તારોમાં મોબાઈલ નેટવર્ક પણ સ્થપાઈ ચૂકી નથી જેના પગલે ઓનલાઇન શિક્ષણ નામ માત્રનું રહેવા પામી છે સાબરકાંઠાના વનવાસી વિસ્તારના ખેડબ્રહ્મા પોશીના તેમજ વિજય નગર વિસ્તારમાં કેટલા ગામડા એવા છે કે જેમાં આજની તારીખે મોબાઇલ નેટવર્ક ન હોવાના પગલે વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા થઇ રહયાં છે
જોકે સૌથી મહત્વની બાબત એ છે કે વનવાસી વિસ્તારમાં કોરોના પોઝિટિવ ના દર્દીઓ ખૂબ ઓછા પ્રમાણમાં નોંધાયા છે તેમજ કેટલાક વિસ્તારમાં કોરોના પોઝિટિવ ના હજુ સુધી એક પણ કેસ નોંધાયા નથી મોટાભાગના ગામડાઓમાં કોરોના પોઝિટિવ કેસનો આવ્યા હોવાના પગલે માસ્ક સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સ ની જરૂરિયાત રહેતી નથી જોકે આવા વિસ્તારોમાં પણ પ્રાથમિક શાળા થી લઇ ધોરણ-૧૦માં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે ખૂબ મોટી સમસ્યા ઊભી થઈ છે આ વિસ્તારમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓનું માનવું છે કે છેલ્લા કેટલાય મહિનાઓથી ઘરકામ તેમજ પરિવારજનો ના કહેવાથી ખેતરોમાં મજૂરી કામ અને રમતમાં સમય પસાર થયું છે જેના પગલે અમારા શિક્ષણ બગડી રહ્યુ છે તેમજ આગામી સમયમાં અભ્યાસ કરવો અમારા માટે જરૂરી હોવા છતાં આજની તારીખે આ બાબતે શાળા કે શિક્ષક સહિત પરિવારજનો વિશેષ ધ્યાન આપી રહ્યા નથી
જોકે શિક્ષણનું બદલાતું સ્વરૂપ તેમજ કોરોના મહામારી વચ્ચે સ્થાનિક જનતાની સક્ષમતા ના પગલે વિદ્યાર્થીઓનું ભાવિ દાવ પર લાગી છે ત્યારે રાજ્ય સરકારના ઓનલાઇન અભ્યાસ કરવાની વાતો માત્ર કાગળ ઉપર સિદ્ધ થઈ રહી છે જોકે કરવામાં આવે તો સાબરકાંઠાના વનવાસી વિસ્તારમાં ઓનલાઇન શિક્ષણ ખાડે ગયું છે તેમજ આગામી સમયમાં આ મામલે ચોક્કસ નિર્ણય નહીં લેવાય તો આમાંથી વિસ્તારના હજારો બાળકોનું ભાવી જોખમાય તેવી પરિસ્થિતિ છે ત્યારે આ મામલે સ્થાનિક સામાજિક આગેવાનોએ વહીવટીતંત્ર સામે વિવિધ સવાલો ઉઠાવી વિદ્યાર્થીઓના ભાવિ ન જોખમાય તે માટે નક્કર પગલા લેવાની માંગ કરી છે.
જોકે ઓનલાઇન શિક્ષણ સંપૂર્ણ ખાડે ગયું હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં વનવાસી વિસ્તારના બાળકો તેમજ કોરોના થી મુક્ત રહેલા ગામડાઓ માટે ચોક્કસ દિશામાં કદમ લેવાય તે સમયની માંગ છે ત્યારે જોવું એ રહે છે કે હજારો વિદ્યાર્થીઓના જીવન સાથે ઓનલાઇન શિક્ષણના નામે થઇ રહેલી રમત મામલે સરકાર કેવા અને કેટલા પગલાં ભરે છે