જેમ-જેમ માનવીની વસ્તી ફલી-ફૂલી રહ્યી છે. તેમ-તેમ અનેક જીવસૃષ્ટી ખતમ થઈ રહી છે. અથવા તો ખતમ થવાની કગારે પહોંચી ગઈ છે. જેમાં ગુજરાતમાં માત્ર કચ્છમાં જોવા મળતા ઘોરાડ પણ હવે લુપ્ત થવાની તૈયારીમાં છે. કારણ કે, વધુ એક માદા ઘોરાડનું મોત થતાં જ હવે માત્ર ચાર માદા ઘોરાડ જ બચ્યા છે. જ્યારે એકપણ નર ઘોરાડ નથી બચ્યા. ત્યારે કેવી છે ઘોરાડ વિહોણા બનતા અભયારણ્યની સ્થિતિ અને શા માટે આ પરિસ્થિતિ થઈ પૈદા તે જાણવા જુઓ આ વિશેષ અહેવાલ.
ગુજરાતમાંથી ઘોરાડ લુપ્ત થવાની આરે
કચ્છ અભયારણ્યમાં વઘુ એક ઘોરાડનું મોત
માત્ર 4 ઘોરાડ માદા જ બચી છે અભિયારણમાં
આ એજ ઘોરાડ પક્ષી છે જે કચ્છમાં ભાગ્યે જોવા મળે છે. જે હવે લુપ્તત થવાની આરે પહોંચી ગયું છે. કારણ કે, કચ્છના એક માત્ર ઘોરાડ અભયારણ્યમાં હવે માત્ર ચાર ઘોરાડ જ બચ્યા છે.
VTV પહોંચ્યુ વનમાં
આજે વધુ એક ઘોરાડનું મોત થયું છે. બીજી તરફ તેની વસ્તી વધવાની કોઈ શક્યતા નથી કારણ કે, અભયારણ્યમાં એકપણ નર ઘોરાડ હાલ જીવીત નથી. જે વન વિભાગ માટે અને ગુજરાત માટે ચિંતા જનક મુદ્દો બની ચૂક્યો છે. ત્યારે વીટીવી આ ગંભીર મુદ્દાને જનતા સુધી અને ઊંઘતી સરકાર સુધી પહોંચાડવા માટે જખૌ અને બુડિયા વચ્ચે આવેલા ઘોરાડ અભયારણ્ય સુધી દોડી ગયું. અને વન વિભાગના અધિકારી સાથે આ ગંભીર મુદ્દે ચર્ચા કરી.
શું કહે છે વન અધિકારી?
વન અધિકારીના જણાવ્યા પ્રમાણે, મૃત્યુ પામેલી માદા ચાર વર્ષની હતી. જેને 2017માં રેડિયો કોલર ટેગ લગાવવામાં આવ્યું હતું. આ ઘોરાડ માદાએ કાચિડો ખાધો હતો. જે તેના ગળામાં ફસાઈ જતા તેનું મોત થયું છે. જોકે આ પહેલા પણ 2014માં અને 2017માં 33 જેટલી વીજલાઈનમાં અથડાવાથી બે ઘોરાડના મોત થયાં હતા. જે બાદ આ ત્રીજી માદાનું મોત થયું છે. જેને રેડિયો કોલર ટેગ લગાવવામાં આવ્યું હતું.
2007માં કચ્છમાં 48 ઘોરાડ બચ્યા હતા
જોકે અહીં આપને એપણ જણાવી દઈએ કે, ભારતમાં માત્ર કચ્છ અને રાજસ્થાનમાં જ ઘોરાડ જોવા મળે છે. 2007માં કચ્છમાં 48 ઘોરાડ બચ્યા હતા. તેની સંખ્યા વન વિભાગની લાપરવાહીના કારણે આજે ચાર થઈ ગઈ છે. હાલ વૈશ્વિક લેવલે પણ ઘોરાડની વસ્તી માત્ર 150 જેટલી બચી છે.જે સૌકોઈ માટે ચિંતાનો વિષય છે. ત્યારે સવાલ એવો થતો હશે કે, શું ઘોરાડની ઘટતી સંખ્યાને રોકવા તેની વસ્તી વધારવા માટે કાંઈ ન થઈ શકે?
શું કહે છે પક્ષીવિદ?
સવાલ અહીં ઘોરાડની વસ્તી વધારવાનો છે. પરંતુ વસ્તી વધારવી કેવી રીતે? કારણ કે, અભયારણ્યમાં તો માત્ર ચાર માદા ઘોરાડ જ બચી છે. નર ઘોરાડ તો બચ્યા જ નથી. તેવામાં એક જ રસ્તો બચ્યો છે, અને તે એટલે કે, રાજસ્થાન વન વિભાગ પાસેથી નર ઘોરાડની માગ.
શું કહે છે રાજસ્થાન વિભાગ
જો રાજસ્થાન વન વિભાગ નર ઘોરાડ આપે તો માદા અને નર વચ્ચે સમાગમ થાય. અને તેમની વસ્તી વધી શકે. પરંતુ રાજસ્થાન વન વિભાગે નર ઘોરાડ આપવાની ના પાડી દીધી છે. તેમનું એવું કહેવું છે કે, જ્યાં સુધી કચ્છમાં વીજલાઈન અંડરગ્રાઉન્ડ નહીં થાય ત્યાં સુધી નર ઘોરાડ આપવામાં નહીં આવે. કારણ કે, વીજ લાઈનના કારણે જ કચ્છમાં ઘોરાડ પક્ષી મરી રહ્યાં છે.
જ્યારે બીજી તરફ વન વિભાગ અને ઉર્જા મંત્રાલય ઘોરાડના વિસ્તારની વીજલાઈન અંડરગ્રાઉન્ડ કરવા પાંચ વર્ષથી માત્ર વાતો જ કરી રહી છે. તેવામાં ગુજરાતનું ઘોરાડ અભયારણ્ય અને ઘોરાડ માત્ર ઈતિહાસના પન્નાઓમાં જ રહી જાય તેવું લાગી રહ્યું છે. ત્યારે આશા રાખીએ કે, લૂપ્ત થતા ઘોરાડને બચાવવાની દીશામાં વન વિભાગ કાંઈક ગંભીરતા દાખવે.