VTV સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખાસ વાતચીત કરી હતી જેમાં કોરોનાના આંકડાથી લઈને કર્ફ્યૂ અંગે તેમણે કેટલીક ખુલાસા બંધ વાતો કરી હતી આવો જોઈ વીડિયો
DyCM નીતિન પટેલ સાથે VTVની ખાસ વાતચીત
મહાનગરોમાં શું કફર્યૂ હજુ લંબાઈ શકે છે?
કર્ફ્યુમાં વધારો નહીં કરવામાં આવે
DyCM નીતિન પટેલ સાથે VTVની ખાસ વાતચીતમાં તેમણે કેટલાક ખુલાસા કર્યા હતા. જેમાં તેમણે જણાવ્યું હતુ કે, સરકાર કોઈ આંકડા નથી છુપાવી રહી. અને કર્ફ્યુ અંગે પણ તેમણે જણાવ્યું હતુ કે કર્ફ્યુમાં વધારો નહીં કરવામાં આવે.
કર્ફ્યુમાં વધારો નહીં કરવામાં આવે
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતુ કે, હાલ તો કર્ફ્યૂમાં કોઈ વધારો નહીં થાય હજુ સુધી દિવસના કફર્યૂ માટે કોઈ જ નિર્ણય નથી લેવાયો. હાલ માત્ર રાત્રી કફર્યૂની જાહેરાત કરાઈ છે જે ચાલુ રહેશે. અમદાવાદ,સુરત,વડોદરા અને રાજકોટમાં જ કેસ વધ્યા છે. તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં કેસમાં વધારો નથી થયો.
આંકડાઓ પારદર્શક રીતે જાહેર કરાઈ રહ્યા છે
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતુ કે, કોરોનાના આંકડા સરકાર છૂપાવી નથી રહી. આંકડાઓ પારદર્શક રીતે જાહેર કરાઈ રહ્યા છે. વેક્સિન ટૂંક સમયમાં આવી રહી છે. તમામ લોકો સુધી વેક્સિન પહોંચે તે સરકારની પ્રાથમિકતા છે. કોરોના સંપૂર્ણ નાબૂદ ન થાય ત્યાં સુધી સાવચેતી રાખવી જરૂરી છે.